Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Viral  Video :  કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે સ્વામિનારાયણ સંપ્રદાય વિશે શું કહ્યું, વાંચો અહેવાલ

સાળંગપુર ખાતે હનુમાનજીની વિરાટ પ્રતિમા નીચે મુકાયેલા વિવાદાસ્પદ ભીંત ચિત્રો હટાવી દેવાયા છે પણ હજું સનાતન ધર્મના સંતો મહંતો અને અનુયાયીઓ તથા સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ વચ્ચે ભારે ચર્ચા જોવા મળી રહી છે. દરમિયાન, સોશિયલ મીડિયામાં કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણનો એક...
viral  video    કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે સ્વામિનારાયણ સંપ્રદાય વિશે શું કહ્યું  વાંચો અહેવાલ
સાળંગપુર ખાતે હનુમાનજીની વિરાટ પ્રતિમા નીચે મુકાયેલા વિવાદાસ્પદ ભીંત ચિત્રો હટાવી દેવાયા છે પણ હજું સનાતન ધર્મના સંતો મહંતો અને અનુયાયીઓ તથા સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ વચ્ચે ભારે ચર્ચા જોવા મળી રહી છે. દરમિયાન, સોશિયલ મીડિયામાં કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં તે એમ બોલતાં જોવા મળી રહ્યા છે કે સ્વામિનારાયણ સંસ્થા પૈસા ભેગા કરવાની સંસ્થા છે, જ્ઞાનનો અખાડો નથી
ફતેસિંહ ચૌહાણનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ
પંચમહાલના કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો છે. સાળંગપુર વિવાદ બાદ હજું પણ સનાતન ધર્મ અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો તતા અનુયાયીઓ વચ્ચે જોરદાર ચર્ચા ચાલી રહી છે તે ગાળામાં જ ફતેસિંહ ચૌહાણનો આ વીડિયો વાયરલ થયો છે.
પૈસા ભેગા કરવાની સંસ્થા
જે વીડિયો વાયરલ થયો છે તેમાં ફતેસિંહ ચૌહાણ સ્વામિનારાયણ સંપ્રદાય વિશે ટિપ્પણી કરતાં સાંભળવા મળે છે. ફતેસિંહ ચૌહાણ એવું બોલતા સંભળાય છે કે સ્વામિનારાયણ સંપ્રદાય સદગુરુમાં માનતો નથી. તે એમ પણ બોલે છે કે સ્વામિનારાયણ સંસ્થા એ કોઇ જ્ઞાનનો અખાડો નથી પણ પૈસા ભેગા કરવાની સંસ્થા છે. ધર્મનું કોઇ જ્ઞાન નથી. સ્વામિનારાયણ સંપ્રદાય અંગેની ટિપ્પણી અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થતાં નવી ચર્ચા ઉભી થઇ છે.
આ પણ વાંચો---ક્રાઇમ કોન્ફરન્સમાં CM ભૂપેન્દ્રભાઇ પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઇ સંઘવીએ રાજ્ય પોલીસને કરી આ મહત્વની ટકોર
Advertisement
Advertisement

.