Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

એવું તે શું થયું કે યોગી સરકારે 13 IASની બદલી કરી?

UP માં IAS અને DM ની બદલી 13 IAS અધિકારીઓની બદલી કરાઇ લખનૌના 5 જિલ્લાના DM પણ બદલી UP:UP માં મોટા વહીવટી ફેરબદલ કરવામાં આવ્યા છે. કુલ 13 IAS અધિકારીઓની બદલી (IAS Transfer)કરવામાં આવી છે. લખનૌ સહિત 5 જિલ્લાના DM...
એવું તે શું થયું કે યોગી સરકારે 13 iasની બદલી કરી
  • UP માં IAS અને DM ની બદલી
  • 13 IAS અધિકારીઓની બદલી કરાઇ
  • લખનૌના 5 જિલ્લાના DM પણ બદલી

UP:UP માં મોટા વહીવટી ફેરબદલ કરવામાં આવ્યા છે. કુલ 13 IAS અધિકારીઓની બદલી (IAS Transfer)કરવામાં આવી છે. લખનૌ સહિત 5 જિલ્લાના DM બદલાયા(DM Change) છે. સીપી સિંહને લખનૌના નવા જિલ્લા મેજિસ્ટ્રેટ બનાવવામાં આવ્યા છે. જ્યારે નિધિ ગુપ્તા ડીએમ અમરોહા બની છે.

Advertisement

જિલ્લા 5 DM બદલાયા

ઘનશ્યામ મીણાને DMહમીરપુર, દિનેશને DM જૌનપુર બનાવાયા છે. રવિન્દ્ર મંડેર ડીએમ પ્રયાગરાજ અને અરવિંદ બંગારી ડીએમ આગ્રા બન્યા છે. નવનીત ચહલને આઝમગઢના ડીએમ અને રવિન્દ્ર સિંહને ફતેહપુરના DM બનાવવામાં આવ્યા છે.

Advertisement

આ પણ  વાંચો -Jammu-Kashmir : આતંકીઓ સામે એન્કાઉન્ટરમાં સેનાના 2 જવાન શહીદ

Advertisement

બિહારમાં પણ 9 IPSની બદલી

બિહારમાં ટ્રાન્સફર એક્સપ્રેસ પણ દોડી છે. એટલે કે ઘણા આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. કુલ 9 આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. ગૃહ વિભાગે ટ્રાન્સફરની સૂચના બહાર પાડી છે. બિહારમાં સતત બીજા દિવસે IPS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ પહેલા ગઈકાલે 12 સપ્ટેમ્બરે બિહારના 29 આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી.

આ પણ  વાંચો -Shocking! વક્ફ બોર્ડ પાસે દુનિયાના 45 થી વધુ દેશ જેટલી છે જમીન

જુલાઈમાં UP માં ઘણા IPS ની બદલી  કરાઇ હતી

આ પહેલા જુલાઈમાં UPમાં ઘણા આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. રાજેશ કુમાર સિંહને પોલીસ કમિશનરેટ કાનપુર નગરના ડેપ્યુટી પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા છે. શ્યામ નારાયણ સિંહને એટાહના પોલીસ અધિક્ષક તરીકે પોસ્ટ કરવામાં આવ્યા હતા. ગૌરવ બંશવાલને પોલીસ કમિશનર, પોલીસ કમિશનરેટ વારાણસી અને અભિષેકને બિજનૌરના પોલીસ અધિક્ષક બનાવવામાં આવ્યા છે. નીરજ કુમાર જાદૌનને હરદોઈના પોલીસ અધિક્ષક બનાવવામાં આવ્યા હતા. ઈરાજ રાજાને ગાઝીપુરના પોલીસ અધિક્ષક બનાવવામાં આવ્યા હતા.

આ પણ  વાંચો -Kuwait માં કામ આપવાના બહાને ભારતીયને બનાવી ગુલામ, જુઓ વીડોયો

પોલીસ કમિશન પણ બદલી કરાઇ હતી

રામ સેવક ગૌતમને શામલીના પોલીસ અધિક્ષક તરીકે અને કેશવ ચંદ ગોસ્વામીને પોલીસ અધિક્ષક, ઈન્ટેલિજન્સ હેડક્વાર્ટર, લખનૌ તરીકે મોકલવામાં આવ્યા હતા. ડૉ. ઓમવીર સિંહને ડેપ્યુટી પોલીસ કમિશનર, પોલીસ કમિશનરેટ લખનૌ ટ્રાન્સફર કરવામાં આવ્યા  હતા. જ્યારે ડો. દુર્ગેશ કુમારને જાલૌનના પોલીસ અધિક્ષક બનાવવામાં આવ્યા હતા

Tags :
Advertisement

.