West Bengal Panchayat Election Result 2023 : હિંસા વચ્ચે આજે મતગણતરી, ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી
પશ્ચિમ બંગાળમાં આજે પંચાયત ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. બંગાળમાં 8 જુલાઈના રોજ પંચાયત ચૂંટણી માટે મતદાન થયું હતું. પરંતુ પંચાયત ચૂંટણીમાં થયેલી હિંસાને કારણે ચૂંટણી પંચે 10 જુલાઈએ 697 બૂથ પર ફરીથી મતદાન કરાવવાનો નિર્ણય લીધો હતો. બંગાળમાં હિંસામાં અત્યાર સુધીમાં 39 લોકોના મોત થયા છે.
સોમવારે રાત્રે કૂચબિહારના દિનહાટામાં મતદાન કેન્દ્રની બહાર ટીએમસી અને ભાજપના સમર્થકો વચ્ચે અથડામણ થઈ હતી. બીજી તરફ, પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી. તેમણે પંચાયત ચૂંટણી દરમિયાન પશ્ચિમ બંગાળમાં થયેલી હિંસા અંગે માહિતી આપી હતી.
#WATCH | West Bengal Panchayat poll result 2023: Security deployed; visuals from Berhampore Girls College, Murshidabad. pic.twitter.com/JweuOBB09F
— ANI (@ANI) July 11, 2023
TMC પંચાયતના ઉમેદવારની NIA દ્વારા ધરપકડ
રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ બીરભૂમ જિલ્લામાંથી TMC ઉમેદવારની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ મનોજ ઘોષ તરીકે થઈ છે. તેઓ બંગાળ પંચાયત ચૂંટણીમાં ટીએમસીના ઉમેદવાર હતા. NIA એ થોડા દિવસો પહેલા તેના ગોડાઉન પર દરોડા પાડ્યા હતા અને એમોનિયમ નાઈટ્રેટ, જિલેટીન સ્ટીક્સ જેવી ભારે વિસ્ફોટક સામગ્રી જપ્ત કરી હતી. NIA એ તેના ગોડાઉનમાંથી દેશી બનાવટની પિસ્તોલ અને દારૂગોળો પણ જપ્ત કર્યો હતો. NIA દ્વારા તેમને આ કેસના સંબંધમાં પૂછપરછ માટે સમન્સ મોકલવામાં આવ્યા હતા. એજન્સીના સૂત્રનો દાવો છે કે ઘણી નોટિસો છતાં, TMC ઉમેદવાર સતત ભાગી રહ્યો હતો અને તપાસ અધિકારી સમક્ષ હાજર થવાનો ઇનકાર કરી રહ્યો હતો. આખરે રાષ્ટ્રીય તપાસ એજન્સીએ બીરભૂમથી સત્તાધારી પક્ષના ઉમેદવાર મનોજ ઘોષની ધરપકડ કરી છે.
રાજ્યપાલે ચૂંટણી હિંસા અંગે અહેવાલ સુપરત કર્યો
રાજ્યપાલ સીવી આનંદ બોઝ 8 જુલાઈના રોજ મતદાન બાદ દિલ્હી પહોંચ્યા હતા. તેઓ ગૃહમંત્રી અમિત શાહ અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા હતા. તેમણે પંચાયત ચૂંટણી દરમિયાન પશ્ચિમ બંગાળમાં થયેલી હિંસા અંગે માહિતી આપી હતી.
West Bengal Governor CV Ananda Bose to visit South 24 Parganas district, including Bhangar and Canning, to take the stock of situation on the day of counting of votes for the Panchayat election.
(File photo) pic.twitter.com/YL5MBMf71g
— ANI (@ANI) July 11, 2023
રાજ્યમાં અત્યાર સુધીમાં 39 લોકોના મોત થયા છે
મળતી માહિતી મુજબ બંગાળમાં પંચાયત ચૂંટણીના કારણે રાજ્યમાં અત્યાર સુધીમાં 37 લોકોના મોત થયા છે. શનિવારે જ ટીએમસીના 11 કાર્યકરો માર્યા ગયા હતા. આ ઉપરાંત ભાજપના ત્રણ, કોંગ્રેસના ત્રણ, સીપીઆઈએમના બે કાર્યકરોએ જીવ ગુમાવ્યા છે. હિંસાની આ ઘટનાઓ મુર્શિદાબાદ, કૂચ બિહાર, પૂર્વ બર્દવાન, માલદા, નાદિયા, ઉત્તર 24 પરગણા અને દક્ષિણ 24 પરગણામાં બની હતી.
#WATCH | West Bengal Panchayat polls result 2023: Security deployed at counting centre. Visuals from Narayantala Ramkrishna Vidhya Mandir, South 24 Parganas. pic.twitter.com/gvj7Sj85eD
— ANI (@ANI) July 11, 2023
અધીર રંજને ચૂંટણી પંચને પત્ર લખ્યો હતો
કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ રાજ્ય ચૂંટણી પંચને પત્ર લખીને પંચાયત ચૂંટણી માટે કેન્દ્રીય દળોની હાજરીમાં ન્યાયી મતગણતરી કરાવવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે, તમામ ઉમેદવારો અને એજન્ટોની સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઈએ.
8 અને 10 જુલાઈના રોજ મતદાન થયું હતું
બંગાળમાં 8 જુલાઈએ 74 હજાર પંચાયતો માટે મતદાન થવાનું હતું. આ દરમિયાન ઘણી હિંસા થઈ હતી અને મતદાન મથકો પર મારામારી, બૂથ લૂંટફાટ અને આગચંપી જેવી ઘટનાઓ સામે આવી હતી. આવી સ્થિતિમાં, 10 જુલાઈએ, સુરક્ષા દળોએ 19 જિલ્લાના 697 બૂથ પર મતદાન કરવાનો નિર્ણય લીધો હતો. 8 જુલાઈના રોજ રાજ્યભરમાં હિંસા સંબંધિત ઘટનાઓમાં 19 લોકોના મોત થયા હતા.
આ પણ વાંચો : હિમાચલ પ્રદેશ સહિત ઉત્તર ભારતમાં ‘જળ પ્રલય’ જુઓ Video