Watch : ફિક્કી પડશે ઉંધિયાની રંગત, શિયાળાની શરૂઆતમાં જ શાકભાજીના ભાવમાં ઉછાળો
સામાન્ય રીતે શિયાળા દરમિયાન શાકભાજી સસ્તા મળતા હોય છે. લીલોતરી શાકભાજી વધુ આવતા હોવાથી લોકો ઉંધિયાની જ્યાફત માણતા હોય છે. જો કે આ વખતે શિયાળાની શરૂઆતમાં જ શાકભાજીના ભાવમાં 20 થી 30 ટકાનો ઉછાળો આવ્યો છે. વેપારીઓમના કહેવા મુજબ શાકભાજીના...
11:25 AM Nov 24, 2023 IST
|
Dhruv Parmar
સામાન્ય રીતે શિયાળા દરમિયાન શાકભાજી સસ્તા મળતા હોય છે. લીલોતરી શાકભાજી વધુ આવતા હોવાથી લોકો ઉંધિયાની જ્યાફત માણતા હોય છે. જો કે આ વખતે શિયાળાની શરૂઆતમાં જ શાકભાજીના ભાવમાં 20 થી 30 ટકાનો ઉછાળો આવ્યો છે. વેપારીઓમના કહેવા મુજબ શાકભાજીના ભાવમાં 20 થી 30 ટકાનો વધારો થયો છે. જે ટામેટા 30 થી 40 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યા હતા તે હવે 70 રૂપિયે કિલોએ પહોંચી ગયા છે. આ સિવાય લીલા વટાણા, ફ્લાવર, ગવાર, ભીંડા, રીંગણા, દૂધી, કારેલા, ડુંગળીના ભાવમાં પણ વધારો થયો છે.
આ પણ વાંચો : Rajsthan: રાજસ્થાન ચૂંટણી પ્રચારમાં ગૃહમંત્રી અમિતભાઈ શાહના કોંગ્રેસ પર પ્રહાર
Next Article