VARANASI : PM મોદી દ્વારા કરાયું દુનિયાના સૌથી મોટા ધ્યાન કેન્દ્રનું ઉદ્ધાટન, ગુજરાતી ઉદ્યોગપતીના મદદથી તૈયાર કરાયું છે આ મહામંદિર
હાલ PM નરેન્દ્ર મોદી તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીના બે દિવસીય પ્રવાસ પર છે. વારાણસીમાં પ્રધાનમંત્રી મોદીએ વિશ્વના સૌથી મોટા ધ્યાન કેન્દ્ર સ્વરવેદા મંદિરનું ઉદ્ઘાટન કર્યું છે. મહત્વની વાત એ છે કે આ સ્વરવેદ મંદિરને વિશ્વના સૌથી મોટા યોગ અને ધ્યાન કેન્દ્ર તરીકે જોવામાં આવે છે. સંત સદાફલ મહારાજ આ મંદિરના પ્રેરણા સ્ત્રોત છે. સદાફલ મહારાજ દેશ - વિદેશમાં ઘણા લોકપ્રિય છે.
1000 કરોડના ખર્ચમાં તૈયાર થયું દુનિયાનું સૌથી મોટું ધ્યાન કેન્દ્ર
1000 કરોડના ખર્ચમાં તૈયાર થયેલ આ જગ્યા વારાણસીમાં દેશ જ નહીં પરંતુ દુનિયાનું સૌથી મોટું ધ્યાન કેન્દ્ર છે. આ ધ્યાન કેન્દ્રમાં 20 હજાર લોકો એકસાથે બેસીને ધ્યાન કરી શકશે. વારાણસીના ઉમરહાનમાં આ 7 માળનું ધ્યાન કેન્દ્ર બનાવવામાં આવ્યું છે, જેને સ્વરવેદા મહામંદિર નામ આપવામાં આવ્યું છે. ધ્યાન કેન્દ્રના આ મહાન મંદિરની ટોચ પર નવ અષ્ટ કમલ સ્થાપિત છે, જે તેની સુંદરતામાં વધારો કરે છે.
#WATCH | PM Modi inaugurates the newly built Swarved Mahamandir in Umaraha, Varanasi
Uttar Pradesh CM Yogi Adityanath also present pic.twitter.com/ISNPEBJAt1
— ANI (@ANI) December 18, 2023
આ સિવાય તેની આસપાસ 101 ફુવારા લગાવવામાં આવ્યા છે. આ ફુવારાઓમાં મકરાણા અને રાજસ્થાની પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ધ્યાન કેન્દ્રનો પાયો 2004માં નાખવામાં આવ્યો હતો.
ગુજરાતના ઉદ્યોગપતીના મદદથી તૈયાર કરાયું
#WATCH | Varanasi, Uttar Pradesh: PM Modi says, "I was mesmerized when I took a tour of the Swarved Mahamandir...The divine teachings of Vedas, Upanishads, Ramayana, Gita and Mahabharata have been depicted through pictures on the walls of Swarved Mahamandir..." pic.twitter.com/h3dGXifKZ4
— ANI (@ANI) December 18, 2023
આ મહાન મંદિર કાશીમાં ગુજરાતના ઉદ્યોગપતિ દેવવ્રત ત્રિવેદી અને ચિરાગ ભાઈ પટેલની મદદથી બનાવવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન, 600 કારીગરોએ તેને 15 એન્જિનિયરોની દેખરેખ હેઠળ તૈયાર કર્યું છે.
રાજસ્થાની ગ્રેનાઈટનો ઉપયોગ કરાયો
विरासत और विकास की पटरी पर आज भारत तेज गति से आगे बढ़ रहा है। काशी में स्वर्वेद मंदिर के लोकार्पण में शामिल होना मेरे लिए सौभाग्य की बात है। https://t.co/afIdqgaNXo
— Narendra Modi (@narendramodi) December 18, 2023
મંદિરની બહારની દિવાલો પર પણ ઘણી ઘટનાઓ કોતરવામાં આવી છે. આ મંદિરના નિર્માણમાં ગુલાબી રેતીના પથ્થર ઉપરાંત મકરાણા માર્બલ અને રાજસ્થાની ગ્રેનાઈટનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો -- ભારતે આપ્યો હતો ચીનને કડક સંદેશ, ભારતે સીમા પર રેકોર્ડ સમયમાં હાઈડ્રો પાવર પ્રોજેક્ટ બનાવ્યો