Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વડોદરાથી STATUE OF UNITY ને જોડતા રસ્તાને હાઈસ્પીડ કોરીડોર તરીકે વિકસાવાશે, CM એ આપી 382 કરોડ રુપિયાની મંજૂરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરાથી STATUE OF UNITY ને જોડતા રસ્તાને આપી મંજૂરી વડોદરાથી SOUને જોડતા રસ્તાને હાઇસ્પીડ કોરીડોર તરીકે વિકસાવાશે મુખ્યમંત્રીએ આપી 382 કરોડ રુપિયાની મંજૂરી કોરીડોરના નિર્માણથી પ્રવાસીઓને પહોંચવામાં રહેશે સરળતા CM ભૂપેન્દ્ર પટેલે વિશ્વ પ્રવાસન સ્થળ તરીકે...
વડોદરાથી statue of unity ને જોડતા રસ્તાને હાઈસ્પીડ કોરીડોર તરીકે વિકસાવાશે  cm એ આપી   382 કરોડ રુપિયાની મંજૂરી
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરાથી STATUE OF UNITY ને જોડતા રસ્તાને આપી મંજૂરી
  • વડોદરાથી SOUને જોડતા રસ્તાને હાઇસ્પીડ કોરીડોર તરીકે વિકસાવાશે
  • મુખ્યમંત્રીએ આપી 382 કરોડ રુપિયાની મંજૂરી
  • કોરીડોરના નિર્માણથી પ્રવાસીઓને પહોંચવામાં રહેશે સરળતા

CM ભૂપેન્દ્ર પટેલે વિશ્વ પ્રવાસન સ્થળ તરીકે ખ્યાતિ પ્રાપ્ત સ્ટેચ્યુ ઓફ યુનિટી-એક્તા નગર સાથે વડોદરાને જોડતા રસ્તાને હાઈસ્પીડ કોરીડોર તરીકે વિકસાવવાના કામો માટે રૂપીયા 381.16 કરોડની મંજૂરી આપી છે. PM નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં લોહ પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા “STATUE OF UNITY” સરદાર સરોવર નર્મદા બંધ-એક્તા નગરમાં નિર્માણ પામી છે. આ સ્થળે દેશ વિદેશમાંથી યાત્રિકો આવતા હોય છે. જેના કારણે પ્રવાસીઓ સરળતાથી STATUE OF UNITY સુધી પહોંચી શકે તે માટે સમગ્ર કાર્ય કરવામાં આવ્યું છે.

Advertisement

ટુરીઝમ વિકાસને વેગ મળે તે માટે કોરીડોરના નિર્માણની મંજૂરી અપાઈ

ઉલ્લેખનીય છે કે, આ STATUE OF UNITY અને એક્તા નગરનું સમગ્ર પરિસર અનેક પ્રવાસન આકર્ષણો સાથે વિશ્વ ભરના પ્રવાસીઓનું કેન્દ્ર બન્યું છે અને મોટા પાયે ટુરીસ્ટ અહિં આવતા રહે છે. CM ભૂપેન્દ્ર પટેલે આ પ્રવાસીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચવામાં સરળતા રહે સાથો સાથ સમય અને ઈંધણનો બચાવ થાય અને સમગ્ર ક્ષેત્રના ટુરીઝમ વિકાસને વેગ મળે તે હેતુથી આ હાઈસ્પીડ કોરીડોરના નિર્માણની મંજૂરી આપી છે.CM એ આપેલી આ મંજૂરીના પરીણામે હાઈસ્પીડ કોરીડોરના ફેઝ-૧ની કામગીરી અન્વયે વડોદરા નેશનલ હાઈવે ૪૮ જંક્શન થી વુડા હદ સુધી છ-માર્ગીય રોડ તથા બંને બાજુ સર્વિસ રોડની કામગીરી, વુડા હદ થી ડભોઇ સુધીની લંબાઇ પૈકી બાકી રહેલ 2.5 કી.મી. લંબાઇમાં સ્ટાન્ડર્ડ ચાર માર્ગીયકરણની કામગીરી હાથ ધરવામાં આવશે. એટલું જ નહી, આ કામગીરીમાં બે અન્ડરપાસ અને બે એલીવેટેડ કોરીડોર પણ નિર્માણ થશે.તદનુસાર રતનપુર ચોકડી ઉપર તથા થુવાવી જંક્શન ઉપર ૬ માર્ગીય વ્હિકલ અન્ડરપાસ, તેમજ કેલનપુર ગામમાં અને સિનોર ચોકડી ઉપર ૪ માર્ગીય એલીવેટેડ કોરીડોરની કામગીરીનો પણ સમાવેશ થશે.

Advertisement

આ પણ વાંચો : GUJARAT : હવે તાંત્રિક અને ભૂવાઓની ખેર નહીં! ગુજરાત સરકાર લાવશે કાળા જાદુ વિરોધી નવો કાયદો

Advertisement
Tags :
Advertisement

.