Uttarakhand : તરસેમ સિંહ હત્યા કેસનો શાર્પશૂટર એન્કાઉન્ટરમાં ઠાર, 16 થી વધુ કેસોમાં હતો આરોપી...
Uttarakhand : શ્રી નાનકમત્તા સાહિબ ગુરુદ્વારા ડેરા કાર સેવાના પ્રમુખ બાબા તરસેમ સિંહની હત્યાના મુખ્ય આરોપી એન્કાઉન્ટરમાં માર્યો ગયો. 28 માર્ચે બાબા તરસેમ સિંહની ગોળી મારીને હત્યા કરનાર અમરજીત સિંહ ઉર્ફે બિટ્ટુને ઉત્તરાખંડ STF અને હરિદ્વાર પોલીસે ભગવાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એન્કાઉન્ટરમાં ઠાર માર્યો હતો. અમરજીત સિંહ વિરુદ્ધ 16 થી વધુ કેસ નોંધાયેલા છે. દરમિયાન હત્યારાનો અન્ય સાથી ફરાર છે. એસટીએફ અને પોલીસ શોધખોળમાં લાગેલી છે.
મુખ્યમંત્રીએ કાર્યવાહીના આદેશ આપ્યા હતા...
DGP ઉત્તરાખંડ (Uttarakhand) અભિનવ કુમારે કહ્યું કે જો ઉત્તરાખંડ (Uttarakhand)માં આવા જઘન્ય ગુનાઓ આચરવામાં આવશે તો પોલીસ ગુનેગારો સાથે કડક કાર્યવાહી કરશે. તેમણે કહ્યું કે બાબાની હત્યાને ઉત્તરાખંડ (Uttarakhand) પોલીસ અને એસટીએફ દ્વારા પડકાર તરીકે લેવામાં આવી હતી અને પોલીસ બંને આરોપીઓને સતત શોધી રહી હતી. બાબા તરસેમ હત્યા કેસ બાદ આ મુદ્દો સતત ગરમાયો હતો. આ બાબતને ગંભીરતાથી લઈને મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કાર્યવાહીના આદેશ આપ્યા હતા. બાબા તરસેમ સિંહની હત્યા બાદ શીખ સમુદાયમાં નારાજગી છે.
Haridwar, Uttarakhand | An encounter between STF and police, and sharpshooter Amarjit Singh alias Bittu took place between Kaliyar Road and Bhagwanpur in Haridwar in which the main shooter has been killed. More than 16 cases are registered against Amarjit Singh alias Bittu: SSP… https://t.co/fh47pgaRhH
— ANI (@ANI) April 9, 2024
એક ગોળી પેટમાં, એક કાંડામાં અને એક હાથમાં વાગી હતી...
તમને જણાવી દઈએ કે 28 માર્ચે બાબા તરસેમ સિંહની બાઇક પર આવેલા બે બદમાશોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આ ઘટના નાનકમત્તા સાહિબ ગુરુદ્વારાની બહાર બની હતી. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. બાબાને 28 માર્ચે સવારે 6:30 થી 7:00 વાગ્યાની વચ્ચે ગોળી વાગી હતી, ત્યારબાદ તેમને ખાતિમા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મૃત્યુ થયું હતું. ઘટના બાદ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કાર સેવાના વડા બાબા તરસેમને પેટમાં, એક કાંડામાં અને એક હાથમાં ગોળી વાગી હતી. તરસેમ સિંહને જોવા માટે હોસ્પિટલમાં લોકોની ભીડ ઉમટી પડી હતી.
આ પણ વાંચો : MP : રાહુલ ગાંધી પર શિવરાજનો કટાક્ષ, કહ્યું- ‘ફ્યુલ હેલિકોપ્ટરનું નહીં, પરંતુ કોંગ્રેસનું સમાપ્ત થયું છે’
આ પણ વાંચો : Terrorist Attack: શ્રીનગરમાં થયો આતંકવાદી હુમલો, ભારતીય સુરક્ષા દળોએ કાર્યવાહી હાથ ધરી
આ પણ વાંચો : Elvish Yadav: એલ્વિશની મુશ્કેલીઓ વધશે! મોબાઈલ ડેટા રિકવર થતા રેવ પાર્ટીનું રહસ્ય ખુલશે