Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Uttarakhand : 53 કલાક બાદ બદ્રીનાથ હાઈવે ખુલ્યો, લેન્ડ સ્લાઈડિંગના કારણે 2000 મુસાફરો ફસાયા...

બદ્રીનાથ નેશનલ હાઈવે બંધ થવાને કારણે જોશીમઠ અને આસપાસના વિસ્તારોમાં બે હજારથી વધુ શ્રદ્ધાળુઓ ફસાયા હતા, જે હવે 53 કલાક પછી ખોલવામાં આવ્યો છે. 9 જુલાઈના રોજ ભૂસ્ખલનને કારણે હાઈવે સંપૂર્ણપણે ગાયબ થઈ ગયો હતો. આ દરમિયાન જોશીમઠમાં કેટલાક કલાકો...
uttarakhand   53 કલાક બાદ બદ્રીનાથ હાઈવે ખુલ્યો  લેન્ડ સ્લાઈડિંગના કારણે 2000 મુસાફરો ફસાયા
Advertisement

બદ્રીનાથ નેશનલ હાઈવે બંધ થવાને કારણે જોશીમઠ અને આસપાસના વિસ્તારોમાં બે હજારથી વધુ શ્રદ્ધાળુઓ ફસાયા હતા, જે હવે 53 કલાક પછી ખોલવામાં આવ્યો છે. 9 જુલાઈના રોજ ભૂસ્ખલનને કારણે હાઈવે સંપૂર્ણપણે ગાયબ થઈ ગયો હતો. આ દરમિયાન જોશીમઠમાં કેટલાક કલાકો સુધી ઈન્ટરનેટ અને મોબાઈલ ફોન સેવાઓ પણ ખોરવાઈ ગઈ હતી. ઉત્તરાખંડ (Uttarakhand) પોલીસે સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા આ માહિતી આપી હતી.

Advertisement

ઉત્તરાખંડ (Uttarakhand) પોલીસે સોશિયલ મીડિયા હેન્ડલ 'X' પર પોસ્ટ કરીને લખ્યું, "જોશીમઠના ચમોલી-ચુંગી ધારમાં બદ્રીનાથ નેશનલ હાઈવે પર SDRF અને NDRF ના જવાનો દ્વારા રાહદારીઓને સુરક્ષિત રીતે રસ્તો ક્રોસ કરવામાં મદદ કરવામાં આવી રહી છે."

Advertisement

Advertisement

પેટાચૂંટણીના કારણે 10 જુલાઈએ બજારો બંધ રહી હતી...

ફસાયેલા મુસાફરો ન તો તેમના પરિવારનો સંપર્ક કરી શક્યા કે ન તો ઓનલાઈન પેમેન્ટ કરીને સામાન ખરીદી શક્યા. રોજીંદી ઉપયોગની વસ્તુઓ અને હોટેલમાં રહેવાની સગવડ અચાનક દોઢ ગણી મોંઘી થઈ ગઈ છે. પેટાચૂંટણીના મતદાનને કારણે 10 જુલાઈના રોજ બજાર બંધ રહ્યું હતું, તેથી ઘણા યાત્રાળુઓને જરૂરી વસ્તુઓ મળી શકી ન હતી. જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. 9 જુલાઈના રોજ સવારે 6 વાગ્યે ભૂસ્ખલનને કારણે હાઈવેનો લગભગ 30 મીટર સંપૂર્ણપણે ગાયબ થઈ ગયો હતો. તેને નવેસરથી બનાવવું પડશે. એટલા માટે તે વધુ સમય લે છે. જોશીમઠથી બદ્રીનાથના દર્શન કરવા ગયેલા યાત્રીઓ માર્ગ બંધ થવાને કારણે અટવાઈ પડ્યા હતા.

ઈન્ટરનેટ બંધ થવાને કારણે સમસ્યાઓ વધી છે...

મુસાફરોનું કહેવું છે કે ઈન્ટરનેટ બંધ થવાને કારણે તેમને સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તેમના ખિસ્સામાં ઓછી રોકડ હતી અને તેઓ આવશ્યક ચીજવસ્તુઓ ખરીદવા માટે ઓનલાઈન પેમેન્ટ કરી શકતા ન હતા. પરિવારના સભ્યો સાથે સંપર્ક ન હોવાને કારણે લોકો ચિંતિત દેખાયા હતા. સાંજે લગભગ 7 વાગ્યે મોબાઈલ અને ઈન્ટરનેટ સેવાઓ પુનઃસ્થાપિત કરવામાં આવી હતી.

આ પણ વાંચો : Delhi : Munak Canal નો બેરેજ તૂટ્યો, રહેણાંક વિસ્તારોમાં પાણી ઘુસ્યા…Video

આ પણ વાંચો : NEET કેસની સુનાવણી સ્થગિત, હવે 18 જુલાઈએ સુપ્રીમ કોર્ટમાં થશે કેસની સુનાવણી…

આ પણ વાંચો : Uttar Pradesh માં વધુ એક અકસ્માત, હાથરસમાં બસ ટ્રક સાથે અથડાઈ, બે લોકોના મોત…

Tags :
Advertisement

Trending News

.

×