Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

UP : સપાની સરકાર બનતાની સાથે જ UP નું બુલડોઝર ગોરખપુર તરફ જશે - અખિલેશ યાદવ

2027 માં સમાજવાદી સરકાર બનશે - અખિલેશ યાદવ ભાજપ સરકારમાં UP પછાત થયું - અખિલેશ યાદવ બંધારણ અને અનામતનો મુદ્દો વધુ તેજ થશે - અખિલેશ લોકસભા ચૂંટણી 2024 માં ઉત્તર પ્રદેશ (UP)માં લીડ બાદ સમાજવાદી પાર્ટીનું મનોબળ ઉંચુ જોવા...
up   સપાની સરકાર બનતાની સાથે જ up નું બુલડોઝર ગોરખપુર તરફ જશે   અખિલેશ યાદવ
  1. 2027 માં સમાજવાદી સરકાર બનશે - અખિલેશ યાદવ
  2. ભાજપ સરકારમાં UP પછાત થયું - અખિલેશ યાદવ
  3. બંધારણ અને અનામતનો મુદ્દો વધુ તેજ થશે - અખિલેશ

લોકસભા ચૂંટણી 2024 માં ઉત્તર પ્રદેશ (UP)માં લીડ બાદ સમાજવાદી પાર્ટીનું મનોબળ ઉંચુ જોવા મળી રહ્યું છે. હવે મંગળવારે સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે દાવો કર્યો છે કે 2027 ની વિધાનસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશ (UP)માંથી ભાજપનો સફાયો થઈ જશે. જોકે, અખિલેશે ગોરખપુરને લઈને કંઈક એવું કહ્યું છે જેનાથી હોબાળો થઈ શકે છે. અખિલેશ યાદવે કહ્યું છે કે UP માં સમાજવાદી પાર્ટીની સરકાર બનતા જ સમગ્ર રાજ્યના બુલડોઝર ગોરખપુર તરફ આગળ વધી જશે.

Advertisement

2027 માં સમાજવાદી સરકાર બનશે - અખિલેશ યાદવ

સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું છે કે 2027 ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો સફાયો થઈ જશે અને તેના ચૂંટણી પરિણામોની અસર દેશની રાજનીતિ પર પડશે. તેમણે કહ્યું કે ભાજપ સરકારમાં નિર્દોષ લોકો પર અત્યાચાર થઈ રહ્યો છે. ખેડૂત ચિંતિત છે. યુવાનોનું ભવિષ્ય અંધકારમય છે. સમાજનો દરેક વર્ગ પરેશાન અને દુઃખી છે. આ પછી અખિલેશે કહ્યું કે 2027 માં સમાજવાદી સરકાર બનતાની સાથે જ સમગ્ર રાજ્યના બુલડોઝર ગોરખપુર તરફ આગળ વધશે.

Advertisement

આ પણ વાંચો : Madhya Pradesh : CM મોહન યાદવના પિતાનું 100 વર્ષની વયે નિધન, આજે ઉજ્જૈનમાં થશે અંતિમ સંસ્કાર...

ભાજપ સરકારમાં UP પછાત થયું - અખિલેશ યાદવ

લખનૌના ડો. રામ મનોહર લોહિયા ઓડિટોરિયમમાં સપાના કાર્યકરોને સંબોધતા અખિલેશ યાદવે કહ્યું કે તેઓ 2027 માં ઉત્તર પ્રદેશ (UP)માં ભાજપ સરકારને હટાવવા અને સમાજવાદી પાર્ટીની સરકાર બનાવવા માટે મક્કમ છે. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપ સરકારમાં રાજ્ય દરેક સ્તરે પાછળ રહી ગયું છે. વિકાસ સદંતર અટકી ગયો છે. લોકો મોંઘવારી અને ભ્રષ્ટાચારથી ત્રસ્ત છે.

Advertisement

આ પણ વાંચો : BJP-RSSને ટક્કર આપવા કોંગ્રેસની નવી ટીમ, જાણો કોને કઇ જવાબદારી મળી

બંધારણ અને અનામતનો મુદ્દો વધુ તેજ કરવામાં આવશે - અખિલેશ

સપા પ્રમુખ અખિલેશ યાદવે બંધારણ અને અનામતના મુદ્દાને વધુ આગળ વધારવાની વાત કરી છે. તેમણે કહ્યું કે સામાજિક ન્યાય માટે જાતિ ગણતરી જરૂરી છે અને સમાજવાદી પાર્ટી આ મુદ્દાઓ પર જનતાની વચ્ચે જઈ રહી છે. અખિલેશે કહ્યું કે, સમાજવાદી સરકાર બનશે તો જ લોકોને તમામ સમસ્યાઓમાંથી રાહત મળશે.

આ પણ વાંચો : Delhi : Air India ની ફ્લાઈટમાં બોમ્બની ધમકી, 107 મુસાફરો હતા સવાર...

Tags :
Advertisement

.