UP Accident : બુલંદશહેરમાં ભયાનક માર્ગ અકસ્માત, 10 લોકોના મોત, અનેક ઘાયલ
- ઉત્તર પ્રદેશમ ગંભીર અકસ્માત
- બુલંદશહેરમાં બસ અને મેક્સ વચ્ચે અકસ્માત
- 10 લોકોના મોત અને અનેક ઘાયલ
બુલંદશહેરના સલેમપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બસ અને મેક્સ વાહન વચ્ચે સામસામે ટક્કર થઈ હતી. આ અકસ્માત (Accident)માં 10 લોકોના મોત થયા છે જ્યારે અનેક મુસાફરો ઘાયલ થયા છે. ગ્રામજનોની મદદથી પોલીસે ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં મોકલ્યા. અકસ્માત (Accident) બાદ રોષે ભરાયેલા લોકો રોડ પર એકઠા થઈ ગયા હતા. વાહનોની અવરજવર થંભી ગઈ હતી.
મળતી માહિતી મુજબ, તમામ લોકો ગાઝિયાબાદની એક કંપનીમાંથી મેક્સ વાહનમાં રક્ષાબંધનનો તહેવાર મનાવવા અલીગઢ સ્થિત પોતાના ઘરે જઈ રહ્યા હતા. તે ઘરે પહોંચે તે પહેલા જ બુલંદશહરના સલેમપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોડવેઝ બસ અને મેક્સ વાહન વચ્ચે ટક્કર થઈ હતી. આ અકસ્માત (Accident)માં નવ લોકોના મોત થયા હોવાનું કહેવાય છે. મૃત્યુઆંક હજુ વધી શકે છે.
VIDEO | "The accident is big and 21 people have been admitted in the district hospital. Doctors are treating the victims. It is our priority that the injured persons are given the best treatment and they come out of danger," says Bulandshahr DM Chandra Prakash Singh on the… pic.twitter.com/6Ruq09PVRk
— Press Trust of India (@PTI_News) August 18, 2024
આ પણ વાંચો : ઉત્તરાખંડ જતી બસમાં સગીર સાથે દુષ્કર્મ, ડ્રાઈવર-કંડક્ટર સહિત 6 લોકોની ધરપકડ
અયોધ્યામાં પણ ત્રણના મોત થયા...
તો બીજી તરફ અયોધ્યામાં પણ રવિવારે એક માર્ગ અકસ્માત (Accident) સર્જાયો હતો. જેમાં ત્રણના મોત અને એક ઘાયલ થયો હતો. મળતી માહિતી મુજબ, મેજિક વાહનને કોઈ અજાણ્યા વાહને પાછળથી ટક્કર મારી હતી. મેજિકમાં મુસાફરી કરી રહેલા ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અકસ્માત (Accident) રાયબરેલી હાઇવે પર પોલીસ સ્ટેશન કેન્ટના મૌ શિવાલા પાસે થયો હતો.
આ પણ વાંચો : ઝારખંડમાં રાજકીય સંકટ! ચંપાઈ સોરેન 6 MLA સાથે દિલ્હીની મુલાકાતે
જૌનપુરમાં કાર પલટી...
જૌનપુરમાં કાર પલટી ગઈ તેવા સમાચાર મળી રહ્યા છે. કાર વધુ ઝડપે કાબૂ બહાર ગઈ અને 25 ફૂટ ખાઈમાં પડી. પલટી ગયેલી કારમાં મુસાફરી કરી રહેલા બે લોકોને ઇજા પહોંચી હતી. માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઘાયલોને કારમાંથી બહાર કાઢીને હોસ્પિટલમાં મોકલ્યા હતા. કારની હાલત જોઈને અંદાજ લગાવી શકાય છે કે તે ખાડામાં પલટી જવાથી કોઈ મોટી દુર્ઘટના થઈ નથી. પોલીસે કારને બહાર કાઢી હતી. આ ઘટના લાઈન બજાર પોલીસ સ્ટેશન વિસ્તારના વાજિદપુર તિહારીમાં બની હોવાનું કહેવાય છે.
આ પણ વાંચો : UCC પર PM મોદીના નિવેદન બાદ મુસ્લિમ સમુદાયની આવી પ્રતિક્રિયા, કહ્યું- અમે સહમત નથી