UP : બંદાયૂંમાં રેઝર વડે 2 બાળકોનું ગળું કાપીને હત્યા કરાઈ, પોલીસે એન્કાઉન્ટરમાં મુખ્ય આરોપીને કર્યો ઠાર...
ઉત્તર પ્રદેશ (UP)ના બંદાયૂં (Budaun)માં ત્રણ બાળકો પર રેઝર વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં બે બાળકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને એક બાળક ઘાયલ થયો હતો. જાણ થતાં પહોંચેલી UP પોલીસને પરિવારજનોએ મૃતદેહનો કબજો લેવા દીધો ન હતો. આ દરમિયાન મુખ્ય આરોપી જાવેદ પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. મળતી માહિતી મુજબ વિનોદ કુમાર બાબા કોલોનીમાં રહે છે અને તેની પત્ની ઘરે પાર્લર ચલાવે છે. તે તેના 3 બાળકો સાથે ઘરે એકલી હતી. જ્યારે, જાવેદ અને સાજીદ વિનોદના ઘરની સામે સલૂન ચલાવે છે. બંનેનો વિનોદના પરિવાર સાથે અવારનવાર વિવાદ થતો હતો.
#WATCH | Budaun, UP: Heavy police security is deployed in the Baba colony near the Mandi Samiti outpost after people protested against the alleged murder of two children pic.twitter.com/AnTH1QVj8C
— ANI (@ANI) March 19, 2024
સાજીદ અને જાવેદનો રેઝર વડે હુમલો
પાડોશીઓએ જણાવ્યું કે મંગળવારે સાંજે સાજીદ અને જાવેદ વિનોદના ઘરે આવ્યા અને બીજા માળે વિનોદના પુત્રો આયુષ, પીયૂષ અને હની પર રેઝર વડે સીધો હુમલો કર્યો. આ દરમિયાન માતા સંગીતા પાર્લરમાં નીચે હતી. ચીસો સાંભળીને લોકો ઉપરના માળે દોડી આવ્યા હતા, પરંતુ આરોપી નાસી છૂટ્યો હતો. તે જ સમયે આ ઘટનાને પગલે વિસ્તારમાં તંગદિલી ફેલાઈ ગઈ હતી.
#UPDATE | Budaun Double Murder Case | Bareilly IG Rakesh Kumar says, "Today evening an unfortunate incident took place. The police reached the spot and the accused tried to escape. The accused fired at the police and was killed in retaliatory fire. The accused died on the spot...… https://t.co/GNFuPJy25n pic.twitter.com/upQY3MKXks
— ANI (@ANI) March 19, 2024
મુખ્ય આરોપી એન્કાઉન્ટરમાં માર્યા ગયા
UP પોલીસને જાણ કરવામાં આવી હતી . ટોળાએ પોલીસને લાશનો કબજો લેવા દીધો ન હતો. પરિવારે મૃતદેહ લેવા આવેલી એમ્બ્યુલન્સને પાછી ફેરવી હતી. રોષે ભરાયેલા ટોળાએ રોડ પર તોડફોડ કરી બ્લોક કરી દીધો હતો. UP પોલીસે એક આરોપીની અટકાયત કરી છે અને મુખ્ય આરોપીને એન્કાઉન્ટરમાં માર્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આરોપી જાવેદ હત્યા કરીને ફરાર થઈ ગયો હતો. હત્યા અંગે ડીએમ મનોજ કુમારે કહ્યું કે અમને આજે સાંજે માહિતી મળી કે એક વ્યક્તિએ ઘરમાં ઘૂસીને 11 અને 6 વર્ષના બે નાના બાળકોની હત્યા કરી નાખી. આ પછી લોકોમાં ગભરાટ ફેલાયો હતો. આ ઘટના બાદ લોકોને શાંતિ જાળવવા માટે કહેવામાં આવ્યું છે અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. ડીએમએ કહ્યું કે હત્યાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી.
આ પણ વાંચો : Kerala માં ટૂરિસ્ટ વ્હીકલને નડ્યો અકસ્માત, 3 ના મોત, 14 ઘાયલ…
આ પણ વાંચો : AAP એ કેજરીવાલની ધરપકડનો ભય વ્યક્ત કર્યો, ભાજપે કહ્યું- 9 સમન્સ, 18 બહાના…
આ પણ વાંચો : BJP ના સાંસદ રવિશંકર પ્રસાદે ‘શક્તિ’ નિવેદન પર રાહુલ ગાંધીને લીધા આડેહાથ, કહ્યું- તેઓ ચૂંટણીલક્ષી હિન્દુ છે…
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ