Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Train Accident : તેલંગાણામાં ટ્રેનના 11 કોચ પાતા પરથી ઉતર્યા, 30 થી વધુ ટ્રેનો રદ્દ

તેલંગાણાના પેદ્દાપલ્લી જિલ્લામાં ટ્રેન અકસ્માત રેલવે ટ્રેક પરથી માલગાડી પાટા પરથી ઉતરી 44 વેગન ટ્રેનના 11 ડબ્બા પાટા પરથી ઉતર્યા તેલંગાણાના પેદ્દાપલ્લી જિલ્લામાં આજે ટ્રેન અકસ્માત (Train Accident) સર્જાયો હતો. રાઘવપુરમ અને રામાગુંડમ વચ્ચે રેલવે ટ્રેક પરથી માલગાડી પાટા...
train accident   તેલંગાણામાં ટ્રેનના 11 કોચ પાતા પરથી ઉતર્યા  30 થી વધુ ટ્રેનો રદ્દ
Advertisement
  1. તેલંગાણાના પેદ્દાપલ્લી જિલ્લામાં ટ્રેન અકસ્માત
  2. રેલવે ટ્રેક પરથી માલગાડી પાટા પરથી ઉતરી
  3. 44 વેગન ટ્રેનના 11 ડબ્બા પાટા પરથી ઉતર્યા

તેલંગાણાના પેદ્દાપલ્લી જિલ્લામાં આજે ટ્રેન અકસ્માત (Train Accident) સર્જાયો હતો. રાઘવપુરમ અને રામાગુંડમ વચ્ચે રેલવે ટ્રેક પરથી માલગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી. આ 44 વેગન ટ્રેનના 11 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા અને પલટી ગયા. આ ટ્રેન આયર્ન ઓર લઈને ગાઝિયાબાદથી કાઝીપેટ જઈ રહી હતી. આ અકસ્માત (Train Accident) ગત રાત્રે થયો હતો, જેની માહિતી આજે સવારે સામે આવી છે.

તમને જણાવી દઈએ કે, ટ્રેન પાટા પરથી ઉતરી જવાને કારણે રેલ માર્ગ ખોરવાઈ ગયો છે, તેથી રેલવેએ રૂટ પર દોડતી 30 થી વધુ ટ્રેનો રદ કરી છે. ઘણી ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. દિલ્હી અને ચેન્નઈ વચ્ચેનો રેલ વ્યવહાર ખાસ કરીને પ્રભાવિત થયો છે. અકસ્માત (Train Accident)ને કારણે સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનો, પેસેન્જર ટ્રેનો અને અન્ય માલસામાન ટ્રેનો પણ પાટા પર ફસાઈ ગઈ હતી. આ માહિતી દક્ષિણ મધ્ય રેલવેના પીઆરઓએ આપી હતી.

Advertisement

Advertisement

આ પણ વાંચો : IMD : Delhi-NCR માં ઠંડીનું આગમન, 10 રાજ્યોમાં ગાઢ ધુમ્મસની ચેતવણી...

રેલવે અધિકારીઓ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી...

અકસ્માત (Train Accident)ની માહિતી મળતા જ સ્ટેશન માસ્ટર, રેલવે અધિકારીઓ અને કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સ્થાનિક પ્રશાસન અને પોલીસની ટીમ પણ અકસ્માત (Train Accident) સ્થળે પહોંચી ગઈ હતી. રેલ્વે કર્મચારીઓએ પાટા પરથી ક્ષતિગ્રસ્ત કોચ અને સામાન હટાવવાનું કામ શરૂ કરી દીધું છે. રેલવે એન્જિનિયરોએ ટ્રેન પાટા પરથી ઉતરી જવાના કારણોની તપાસ કરી હતી.

આ પણ વાંચો : Wayanad માં મતદાન શરુ, પ્રિયંકાના રાજકીય અસ્તિત્વ પર સૌની નજર

તપાસ કર્યા બાદ રિપોર્ટ સોંપાશે...

રેલવે પ્રશાસનનું કહેવું છે કે દુર્ઘટનાની તપાસ કર્યા બાદ અધિકારીઓને રિપોર્ટ સોંપવામાં આવશે, કારણ કે જો કોઈ માલગાડીને અકસ્માત (Train Accident) થાય છે તો રેલ ટ્રાફિકને મોટા પાયે અસર થાય છે. પેસેન્જર ટ્રેનો અને માલગાડીઓને અહીં અને ત્યાં અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આવા અકસ્માતો અટકાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ દુર્ઘટનાનું કારણ શોધીને, માલગાડીઓને વધુ સુરક્ષિત બનાવવામાં આવશે, જેથી લોકોને તેના કારણે મુસાફરી કરવામાં મુશ્કેલીનો સામનો ન કરવો પડે.

આ પણ વાંચો : Jharkhand ની 43 વિધાનસભા બેઠકો પર મતદાન શરૂ, ઘણા દિગ્ગજોની પ્રતિષ્ઠા દાવ પર

Tags :
Advertisement

Related News

featured-img
રાષ્ટ્રીય

દિલ્હી-NCR માં ભારે વરસાદે તબાહી મચાવી... રસ્તાઓ પર પાણી ભરાયા

featured-img
Top News

Bhavnagar : મહુવામાં પડ્યો ધોધમાર વરસાદ, 38 વિદ્યાર્થીઓ અને બસ ડ્રાઇવરનું સુરક્ષિત રેસ્ક્યૂ કરાયું

featured-img
રાષ્ટ્રીય

Model Sheetal Case: હરિયાણાની મોડલ શીતલ હત્યા કેસમાં મોટો ઘટસ્ફોટ!

featured-img
Top News

Vadodra : ડ્રેનેજ લાઇન માટે ખોદેલા ખાડા બન્યા આફત, ચોમાસામાં જ ડ્રેનેજ લાઇનનું કામ કરતા સ્થાનિકોને ભારે હાલાકી

featured-img
અમદાવાદ

Ahmedabad Plane Crash : શૈક્ષણિક સત્ર ફરી ક્યારે શરૂ થશે ? BJ મેડિકલ કોલેજનાં ડીને આપી માહિતી

featured-img
રાષ્ટ્રીય

Bihar ને મળશે મોટી ભેટ, આ છ નવા શહેરોમાં બનશે એરપોર્ટ

×

Live Tv

Trending News

.

×