Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આજે વશરામ સાગઠીયા કોંગ્રેસમાં જોડાશે 

રાજકોટના રાજકારણના મોટા સમાચાર વશરામ સાગઠિયાની કોંગ્રેસમાં થશે ઘરવાપસી આજે શક્તિસિંહની હાજરીમાં કોંગ્રેસમાં જોડાશે રાજકોટ મનપાના પૂર્વ વિપક્ષ નેતા છે સાગઠિયા પૂર્વ કોર્પોરેટર કોમલ ભારાઈ પણ જોડાશે રાજકોટના રાજકારણના મોટા સમાચાર આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ રાજકોટ આમ આદમી પાર્ટીના...
આજે વશરામ સાગઠીયા કોંગ્રેસમાં જોડાશે 
રાજકોટના રાજકારણના મોટા સમાચાર
વશરામ સાગઠિયાની કોંગ્રેસમાં થશે ઘરવાપસી
આજે શક્તિસિંહની હાજરીમાં કોંગ્રેસમાં જોડાશે
રાજકોટ મનપાના પૂર્વ વિપક્ષ નેતા છે સાગઠિયા
પૂર્વ કોર્પોરેટર કોમલ ભારાઈ પણ જોડાશે
રાજકોટના રાજકારણના મોટા સમાચાર આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ રાજકોટ આમ આદમી પાર્ટીના નેતા વશરામ સાગઠીયા ફરીથી કોંગ્રેસમાં જોડાશે. વશરામ સાગઠીયાને પક્ષે બરતરફ કર્યા હોવાની વાl બહાર આવી હતી પણ વશરામ સાગઠીયાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધું હોવાનું પણ બહાર આવ્યું છે. આજે નવા કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની હાજરીમાં વશરામ સાગઠીયા કોંગ્રેસમાં જોડાશે.
ફરીથી કોંગ્રેસમાં ઘરવાપસી
વશરામ સાગઠીયાની ફરીથી કોંગ્રેસમાં ઘરવાપસી થશે. તેઓ રાજકોટ મનપાના પૂર્વ વિપક્ષી નેતા છે. તેમની સાથે પૂર્વ કોર્પોરેટર કોમલ ભારાઈ પણ કોંગ્રેસમાં જોડાશે.  સુત્રોએ જણાવ્યું કે 18 તારીખે તેમણે ઇસુદાન ગઢવીને રાજીનામુ આપી દીધું હતું. કોગ્રેસમાં શક્તિસિંહ ગોહિલની પ્રમુખપદે વરણી થતાં તેમણે કોંગ્રેસમાં જોડાવાનું નક્કી કર્યું છે.
શક્તિસિંહ ગોહિલની પદયાત્રામાં પણ જોવા મળ્યા હતા
ઉલ્લેખનિય છે કે વશરામ સાગઠીયા અગાઉ કોંગ્રેસમાં જ હતા અને તેઓ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. હવે ફરીથી તેઓ કોંગ્રેસમાં જોડાશે.  વશરામ સાગઠીયા તાજેતરમાં શક્તિસિંહ ગોહિલની પદયાત્રામાં પણ જોવા મળ્યા હતા.  વશરામ સાગઠીયાને આમ આદમી પાર્ટીએ રાજકોટ ગ્રામ્ય બેઠક પરથી ટિકીટ આપી હતી પણ તેઓ પાતળી સરસાઇથી ભાજપના ઉમેદવાર સામે હાર્યા હતા. હાલ તેઓ રાજકોટમાં વોર્ડ નંબર 15ના કોર્પોરેટર છે.
Advertisement
Tags :
Advertisement

.