Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Tirupati : લાડુ વિવાદ પર 'આસ્થા' ભારે, માત્ર ચાર દિવસમાં 14 લાખ લાડુ વેચાયા

તિરુપતિના લાડુ વિવાદ વધુ ઘેરો બન્યો લાડુના વિવાદે રાજકીય વિવાદ સર્જ્યો છેલ્લા ચાર દિવસમાં 14 લાખથી વધુ લાડુ વેચાયા તિરુપતિ (Tirupati)ના લાડુમાં પ્રાણીની ચરબીના કથિત ઉપયોગનો વિવાદ વધુ ઘેરો બની રહ્યો છે અને આ અંગે રાજકારણ પણ તેજ બની...
tirupati   લાડુ વિવાદ પર  આસ્થા  ભારે  માત્ર ચાર દિવસમાં 14 લાખ લાડુ વેચાયા
  1. તિરુપતિના લાડુ વિવાદ વધુ ઘેરો બન્યો
  2. લાડુના વિવાદે રાજકીય વિવાદ સર્જ્યો
  3. છેલ્લા ચાર દિવસમાં 14 લાખથી વધુ લાડુ વેચાયા

તિરુપતિ (Tirupati)ના લાડુમાં પ્રાણીની ચરબીના કથિત ઉપયોગનો વિવાદ વધુ ઘેરો બની રહ્યો છે અને આ અંગે રાજકારણ પણ તેજ બની રહ્યું છે. હવે લાડુના વિવાદે ભલે રાજકીય વિવાદ સર્જ્યો હોય, પરંતુ શ્રી વેંકટેશ્વર મંદિરના આ કિંમતી પ્રસાદના વેચાણ પર તેની કોઈ અસર થઈ નથી. તમને જણાવી દઈએ કે, આ મંદિરમાં દરરોજ 60,000 થી વધુ શ્રદ્ધાળુઓ આવે છે. મંદિર પ્રશાસનના જણાવ્યા અનુસાર, આ વિવાદ વચ્ચે છેલ્લા ચાર દિવસમાં 14 લાખથી વધુ તિરુપતિ (Tirupati) લાડુનું વેચાણ થયું છે. 19 સપ્ટેમ્બરે કુલ 3.59 લાખ, 20 સપ્ટેમ્બરે 3.17 લાખ, 21 સપ્ટેમ્બરે 3.67 લાખ અને 22 સપ્ટેમ્બરે 3.60 લાખ લાડુનું વેચાણ થયું હતું. વેચાણના આંકડા તેમના રોજના સરેરાશ 3.50 લાખ લાડુ સાથે મેળ ખાય છે.

Advertisement

લાડુ બનાવવાની રીત...

એક અહેવાલો અનુસાર, ભક્તોએ કહ્યું, "અમારો વિશ્વાસ એટલો મજબૂત છે કે તેને હલાવી શકાતો નથી." મંદિરમાં દરરોજ 3 લાખથી વધુ લાડુ બનાવવામાં આવે છે. મંદિરની મુલાકાત લેતા યાત્રાળુઓ ઘણીવાર મિત્રો અને સંબંધીઓને આપવા માટે મોટી સંખ્યામાં આ ખરીદે છે. તિરુપતિ (Tirupati) લાડુના ઘટકોમાં બંગાળ ગ્રામ ચણાનો લોટ, ગાયનું ઘી, ખાંડ, કાજુ, કિસમિસ અને બદામનો સમાવેશ થાય છે. લાડુ બનાવવામાં દરરોજ 15,000 કિલો ગાયનું ઘી વપરાય છે.

Advertisement

ક્યારે અને કેટલા લાડુ વેચાયા?

  • 19 સપ્ટેમ્બર 2024 ના રોજ 3.59 લાખ લાડુનું વેચાણ થયું હતું
  • 20 સપ્ટેમ્બર 2024 ના રોજ 3.17 લાખ લાડુનું વેચાણ થયું હતું
  • 21 સપ્ટેમ્બર 2024 ના રોજ 3.67 લાખ લાડુનું વેચાણ થયું હતું
  • 22 સપ્ટેમ્બર 2024 ના રોજ કુલ 3.60 લાખ લાડુનું વેચાણ થયું હતું

આ પણ વાંચો : શાળાઓમાં બાળકોના યૌન ઉત્પીડન અંગે Supreme Court લાલધૂમ, જાણો શું કહ્યું...

આરોપ-પ્રત્યારોપનો દોર ચાલુ...

આંધ્રપ્રદેશના CM એન ચંદ્રબાબુ નાયડુએ આરોપ મૂક્યો હતો કે અગાઉના YSRCP શાસન દરમિયાન તિરુપતિ લાડુ બનાવવા માટે વપરાતા ઘીમાં પ્રાણીની ચરબી હતી તે પછી તિરુપતિ મંદિર એક મોટા વિવાદના કેન્દ્રમાં છે. રાજ્ય સરકારે આ મામલાની તપાસ માટે વિશેષ તપાસ ટીમની રચના કરી છે. ભૂતપૂર્વ CM વાયએસ જગન મોહન રેડ્ડીએ, જેમની પાર્ટી આ વર્ષે રાજ્યની ચૂંટણીઓ હારી હતી, તેમણે શાસક TDP પર "ધાર્મિક બાબતોનું રાજનીતિકરણ" કરવાનો આરોપ મૂક્યો છે.

Advertisement

આ પણ વાંચો : Mumbai : સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરના પ્રસાદમાં જોવા મળ્યા ઉંદરો! જાણો વાયરલ વીડિયોનું સત્ય...

TTD ઘીનાં નમૂનાઓ એકત્રિત કર્યા...

તેમણે આરોપ લગાવ્યો કે નાયડુ "વિકૃત અને રીઢો જુઠ્ઠા" છે. લાડુ માટે વપરાતા ઘી માટેની ટેન્ડર પ્રક્રિયા દર છ મહિને થાય છે, અને પાત્રતાના માપદંડ દાયકાઓથી બદલાયા નથી. સપ્લાયર્સે NABL પ્રમાણપત્ર અને ઉત્પાદન ગુણવત્તા પ્રમાણપત્ર પ્રદાન કરવું આવશ્યક છે. TTD ઘીનાં નમૂનાઓ એકત્રિત કરે છે, અને પ્રમાણપત્ર પાસ કરતા ઉત્પાદનોનો જ ઉપયોગ કરવામાં આવે છે. TDP ધાર્મિક બાબતોનું રાજકારણ કરી રહી છે.

આ પણ વાંચો : UP સરકારનો મોટો નિર્ણય, દુકાનો બહાર લખવું પડશે માલિકનું નામ, CCTV-માસ્ક પણ જરૂરી

Tags :
Advertisement

.