Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સમયસર ફી જમા ન કરાવી શક્યો યુવક, ગુમાવી IIT સીટ, હવે સુપ્રીમ કોર્ટે આપી છે મોટી રાહત...

મુઝફ્ફરનગરનો અતુલ IIT ધનબાદમાં અભ્યાસ કરશે સુપ્રીમ કોર્ટે મજૂરના પુત્રને પ્રવેશ આપવાનો આદેશ જારી કર્યો સમયસર રૂપિયા ન જમા કરાવી શકવાના કારણે સીટ ન મળી હતી યુપીના મુઝફ્ફરનગરનો રહેવાસી અતુલ હવે IIT ધનબાદમાં અભ્યાસ કરશે. સુપ્રીમ કોર્ટે મજૂરના પુત્રને...
સમયસર ફી જમા ન કરાવી શક્યો યુવક  ગુમાવી iit સીટ  હવે સુપ્રીમ કોર્ટે આપી છે મોટી રાહત
  1. મુઝફ્ફરનગરનો અતુલ IIT ધનબાદમાં અભ્યાસ કરશે
  2. સુપ્રીમ કોર્ટે મજૂરના પુત્રને પ્રવેશ આપવાનો આદેશ જારી કર્યો
  3. સમયસર રૂપિયા ન જમા કરાવી શકવાના કારણે સીટ ન મળી હતી

યુપીના મુઝફ્ફરનગરનો રહેવાસી અતુલ હવે IIT ધનબાદમાં અભ્યાસ કરશે. સુપ્રીમ કોર્ટે મજૂરના પુત્રને પ્રવેશ આપવાનો આદેશ જારી કર્યો છે. વાસ્તવમાં અતુલ તેની 17500 રૂપિયાની ફી સમયસર જમા કરાવી શક્યો ન હતો. જેના કારણે તેને IIT ધનબાદમાં દાખલ કરવામાં આવ્યો ન હતો. જે બાદ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. હવે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, ફી જમા કરાવવાની સમયમર્યાદા પૂરી થયા બાદ વિદ્યાર્થીને અવઢવમાં મૂકી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તેને IIT ધનબાદમાં પ્રવેશ આપવો પડશે. છાત્રાલય વગેરે સુવિધાઓ પણ વિદ્યાર્થીને આપવાની રહેશે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે IIT માં એડમિશન લઈ ચૂકેલા વિદ્યાર્થીઓ પર કોઈ અસર થવી જોઈએ નહીં. અતુલને વધારાની સીટ પર એન્ટ્રી આપવામાં આવશે.

Advertisement

CJI DY ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેન્ચે આ ચુકાદો સંભળાવ્યો. કોર્ટે કહ્યું કે, પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ કે જેઓ પહેલાથી જ ગરીબ છે તેમના પ્રવેશને રોકવામાં ન આવે. તમને જણાવી દઈએ કે ગત સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે અતુલને મદદનું આશ્વાસન આપ્યું હતું. આ સિવાય કોર્ટે IIT મદ્રાસ તેમજ જોઈન્ટ સીટ એલોકેશન ઓથોરિટીને પણ નોટિસ પાઠવી હતી.

Advertisement

આ પણ વાંચો : Karnataka : બેંગલુરુ-મૈસુર એક્સપ્રેસ વે પર અકસ્માત, મુસાફરોથી ભરેલી બસ પલટી, 20 ઘાયલ

ઇલેક્ટ્રિકલ એન્જિનિયર બનવાનું સપનું...

વિદ્યાર્થીએ ફી જમા ન કરાવવા પાછળ પરિવારની ગરીબીનું કારણ જણાવ્યું હતું. અતુલના વકીલે દલીલ કરી હતી કે પરિવાર માટે ઓછા સમયમાં 17,500 રૂપિયા એકઠા કરવા સરળ નથી. અતુલ મૂળ મુઝફ્ફરનગરના ટોટોરા ગામનો રહેવાસી છે. 18 વર્ષના હોનહરના પિતા મજૂરી કામ કરે છે. કોર્ટના આદેશનો જવાબ આપતા અતુલે કહ્યું કે જે ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી તે પાટા પર પાછી આવી ગઈ છે. વધુ મહેનત કરીને હું ઇલેક્ટ્રિકલ એન્જિનિયર બનવાનું મારું સપનું પૂરું કરીશ.

Advertisement

આ પણ વાંચો : Maharashtra Earthquake : ભૂકંપને કારણે અમરાવતીની ધરતી ધ્રૂજી, જાણો શું હતી તીવ્રતા?

Tags :
Advertisement

.