Ram Lalla: સદીઓનો ઇંતજાર પૂરો થયો, અયોધ્યામાં બિરાજ્યા રધુનંદન
Ram Lalla: ભારતવર્ષ લોકો જેની સદીઓથી રાહ જોઈ રહ્યા હતા તે ઘડી પૂર્ણ થઈ અને રામ લલ્લાએ મંદિરના ગર્ભ ગૃહમાં બિરાજમાન થઈ ગયા છે. શ્રીરામની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, અયોધ્યા રામ મંદિરમાં ભગવાન રામના બાળ સ્વરૂપની પ્રાણ પ્રતિષ્ઠાના પ્રધાનમંત્રી સાક્ષી બન્યા છે. આજનો દિવસ ભારત વર્ષ માટે ઐતિહાસિક છે.
500 વર્ષીની કઠોળ તપસ્યા બાદ આજે પૂર્ણ થઈ
આ ઐતિહાસિક ક્ષણની ભારતીયો સદીઓથી રાહ જોઈ રહ્યા છે. 500 વર્ષીની કઠોળ તપસ્યા બાદ આજે પૂર્ણ થઈ ગઈ છે. અયોધ્યામાં શ્રી રામ ભવ્યાતિભવ્ય અને દિવ્ય મંદિરમાં બિરાજમાન થઈ ગયા છે. આજે કરોડો હિંદુઓ હર્ષની લાગણી અનુભવી રહ્યા છે. કારણ કે, આજે રામ લલ્લાને તેમનું ઘર પાછું મળી ગયું છે.
ઐતિહાસિક ક્ષણ, 500 વર્ષની તપસ્યા પૂર્ણ થઈ. ભગવાન શ્રી રામ અયોધ્યામાં ભવ્ય અને દિવ્ય મંદિરમાં બિરાજમાન થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંઘ પ્રમુખ મોહન ભાગવત અને યુપીના સીએમ યોગી આદિત્યનાથ સહિત સંત સમુદાય અને ખૂબ જ ખાસ લોકોની હાજરીમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ થઈ… pic.twitter.com/DRjNPzoEpv
— Gujarat First (@GujaratFirst) January 22, 2024
રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થઈ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, સંઘ પ્રમુખ મોહન ભાગવત અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અદિત્યનાથ સહિત સંત સમાજ અને અતિ વિશેષ્ટ લોકોની ઉપસ્થિતિમાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થઈ છે. આજે ભારત વર્ષ માટે ઐતિહાસિક દિવસ છે. ઇતિહાસના પાને આજનો દિવસ સુવર્ણ અક્ષરે લખાઈ ગયો છે. આવતા હજારો વર્ષો સુધી આજના આ દિવસને યાદ કરી હિંદુઓ ગૌરવની લાગણી અનુભવશે. કારણ કે, ક્ષણ માટે અસંખ્ય હિંદુઓએ પોતાનું બલિદાન આપ્યું છે.
આ પણ વાંચો: રામમય બન્યો છે માહોલ, 50 દેશોના 92 ખાસ લોકો પણ થયા સામેલ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ