Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Modi Govt. : મણિપુરના સૌથી જૂના બળવાખોર જૂથ UNLF એ કાયમી શાંતિ કરાર માટે મંજૂરી આપી

મણિપુર હિંસા બાદ રાજ્ય અને કેન્દ્ર સરકાર મણિપુરમાં શાંતિ સ્થાપવા માટે ઘણા પ્રયાસો કરી રહી હતી. બુધવારે આ દિશામાં સરકારને મોટી સફળતા મળી હતી. મણિપુરના સૌથી જૂના બળવાખોર જૂથે કાયમી શાંતિ કરાર માટે મંજૂરી આપી દીધી છે. સરકાર આ જૂથ...
07:02 PM Nov 29, 2023 IST | Vipul Pandya

મણિપુર હિંસા બાદ રાજ્ય અને કેન્દ્ર સરકાર મણિપુરમાં શાંતિ સ્થાપવા માટે ઘણા પ્રયાસો કરી રહી હતી. બુધવારે આ દિશામાં સરકારને મોટી સફળતા મળી હતી. મણિપુરના સૌથી જૂના બળવાખોર જૂથે કાયમી શાંતિ કરાર માટે મંજૂરી આપી દીધી છે. સરકાર આ જૂથ સાથે ઘણા દિવસોથી વાત કરી રહી હતી. યુનાઈટેડ નેશનલ લિબરેશન ફ્રન્ટ (UNLF) એ બુધવારે કાયમી શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને આ માહિતી આપી હતી

"એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે "

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સોશિયલ મીડિયામાં જણાવ્યું કે "મણિપુરમાં સૌથી જૂનું ખીણ-આધારિત સશસ્ત્ર જૂથ UNLF, હિંસા છોડીને મુખ્ય પ્રવાહમાં જોડાવા માટે સંમત થયું છે. હું તેમને લોકતાંત્રિક પ્રક્રિયાઓમાં આવકારું છું. હું તેમને તેમના માર્ગ પરની સફર માટે શુભેચ્છા પાઠવું છું.

3 મેથી હિંસા ફાટી નીકળી હતી

ઉલ્લેખનિય છે કે મેઇટી સમુદાયની અનુસૂચિત જનજાતિ (ST) દરજ્જાની માંગના વિરોધમાં મણિપુરના પહાડી જિલ્લાઓમાં 3 મેના રોજ આયોજિત 'આદિજાતિ એકતા માર્ચ' બાદ હિંસા ફાટી નીકળી ત્યારથી 180 થી વધુ લોકો માર્યા ગયા છે. મણિપુરની વસ્તીના લગભગ 53 ટકા મેઇટી લોકો છે. તેઓ મોટે ભાગે ઇમ્ફાલ ખીણમાં રહે છે, જ્યારે આદિવાસીઓ (નાગા અને કુકી) વસ્તીના 40 ટકા છે. તેઓ મુખ્યત્વે પહાડી જિલ્લાઓમાં રહે છે.

UNLF વિશે જાણો

યુનાઈટેડ નેશનલ લિબરેશન ફ્રન્ટ (UNLF) યુનાઈટેડ નેશનલ લિબરેશન ફ્રન્ટ ઓફ મણિપુર તરીકે પણ ઓળખાય છે. તે ઉત્તર-પૂર્વ ભારતના મણિપુર રાજ્યમાં સક્રિય એક અલગતાવાદી બળવાખોર જૂથ છે. તેનો ઉદ્દેશ સાર્વભૌમ અને સમાજવાદી મણિપુરની સ્થાપના કરવાનો છે.

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ સપ્ટેમ્બર 2012 માં સ્વીકાર્યું હતું કે યુનાઇટેડ નેશનલ લિબરેશન ફ્રન્ટની પ્રવૃત્તિઓનો હેતુ મણિપુર રાજ્યમાં સાર્વભૌમત્વ લાવવાનો હતો. UNLF ચીફ સના યાઈમા માને છે કે મણિપુર માર્શલ લો હેઠળ છે. તેમણે મણિપુરમાં યોજાયેલી ચૂંટણીના ચરિત્ર અને યોગ્યતા પર સવાલ ઉઠાવ્યા હતા. તેમનું માનવું છે કે આ સંઘર્ષને ઉકેલવાનો સૌથી લોકશાહી માધ્યમ લોકમત છે.

Tags :
Amit ShahManipurModi governmentpeace dealsuccessUNLF
Next Article