ALERT: 'તેજ' વાવાઝોડું રસ્તો બદલીને ગુજરાતના દરિયા કિનારે ટકરાવાની આશંકા
ભારતીય હવામાન વિભાગે (IMD) શુક્રવારે જણાવ્યું હતું કે દક્ષિણ-પૂર્વ અને નજીકના દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાં નીચા દબાણનો વિસ્તાર હવે લો પ્રેશરમાં ફેરવાઈ ગયો છે, જેનાથી 21 ઓક્ટોબરની સવારે ચક્રવાતી તોફાન વાવાઝોડાની સંભાવના વધી છે. આ વર્ષે અરબી સમુદ્રમાં આ બીજું ચક્રવાતી તોફાન હશે. હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચક્રવાતી વાવાઝોડાના નામકરણની ફોર્મ્યુલા અનુસાર તેનું નામ 'તેજ' હશે. આ વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારે ટકરાય તેવી આશંકા પણ વ્યક્ત કરાઇ છે.
दैनिक मौसम परिचर्चा (Hindi) 20.10.2023#imd #weatherupdate #india #monsoon #weatherupdate #andaman #nicobar #Kerala #Tamilnadu #bayofBengal
YouTube : https://t.co/Zkle0ChllC
Facebook : https://t.co/OKT9fJWAED@moesgoi @DDNewslive @ndmaindia @airnewsalerts pic.twitter.com/RhqQ4CVV5L— India Meteorological Department (@Indiametdept) October 20, 2023
વાવાઝોડામાં પરિવર્તિત થવાની ભીતિ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ ચક્રવાતી તોફાન વાવાઝોડું રવિવાર સુધીમાં ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે અને દક્ષિણમાં ઓમાન અને યમનના દરિયાકાંઠે ટકરાઈ શકે છે. જો કે, હવામાન વિભાગે આશંકા વ્યક્ત કરી છે કે આ વાવાઝોડું પણ અગાઉના ચક્રવાતી તોફાન બિપરજોયની જેમ પોતાનો માર્ગ બદલી શકે છે. તમને જણાવી દઈએ કે બિપરજોય વાવાઝોડું અરબી સમુદ્રમાં ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધવાનું હતું પરંતુ તે તેની દિશા બદલીને ગુજરાતના માંડવી અને પાકિસ્તાનના કરાચીના કિનારે ટકરાયું હતું. અત્યાર સુધી એવા સંકેતો મળી રહ્યા છે કે ચક્રવાતી તોફાન યમન-ઓમાનના દરિયાકાંઠે જ ટકરાશે.
પાકિસ્તાન અને ગુજરાતના દરિયાકાંઠે તેનો રસ્તો બદલી શકે
જો કે, વૈશ્વિક હવામાનની આગાહી કહે છે કે આ વાવાઝોડું અરબી સમુદ્રમાં છે અને તે પાકિસ્તાન અને ગુજરાતના દરિયાકાંઠે તેનો રસ્તો બદલી શકે છે. આ ચક્રવાતી તોફાનમાં 62-88 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
આ પણ વાંચો---BOTAD : વ્યાજના વિષચક્રમાં હીરા દલાલે કરી આત્મહત્યા