ગૌતમ ગંભીર અને રજત શર્મા વચ્ચે સોશિયલ મીડિયામાં છેડાયો જંગ, જાણો શું છે સમગ્ર મામલો
ટેલિવિઝનના પ્રખ્યાત એન્કર રજત શર્માએ તેની ચેનલ પર ગૌતમ ગંભીર અને વિરાટ કોહલી વચ્ચેના અણબનાવ પર પોતાનો અભિપ્રાય આપ્યો, જે ગૌતમ ગંભીરને બિલકુલ પસંદ ન આવ્યો અને તેનું નામ લીધા વિના એક ટ્વિટ કર્યું.
ગૌતમ ગંભીરે બુધવારે રાત્રે ટ્વિટ કર્યું હતું. તેણે લખ્યું કે, જે દબાણના કારણે દિલ્હી ક્રિકેટથી ભાગી ગયો હતો તે હવે પૈસાના આધારે જાહેર પ્રચાર કરી રહ્યો છે અને બતાવી રહ્યો છે કે તેને ક્રિકેટની કેટલી ચિંતા છે. આ કલયુગ છે જ્યાં 'ભાગેડુ' તેમની 'અદાલત' ચલાવે છે.
Man who ran away from Delhi Cricket citing “pressure” seems over eager to sell paid PR as concern for cricket! यही कलयुग़ है जहां ‘भगोड़े’ अपनी ‘अदालत’ चलाते हैं।
— Gautam Gambhir (@GautamGambhir) May 3, 2023
હકીકતમાં, ઈન્ડિયા ટીવી એન્કર અને પત્રકાર રજત શર્માએ ટીવી પર કહ્યું હતું કે, વિરાટ કોહલી ગૌતમ ગંભીર કરતાં ઘણો સારો છે. તે પચાવી શકતો નથી કે તેના કરતા કોઈ કેવી રીતે શ્રેષ્ઠ હોઈ શકે. વિરાટ કોહલીની વિશ્વ ક્રિકેટમાં ઘણી સિદ્ધિઓ છે. આ ઉપરાંત રજત શર્માએ એમ પણ કહ્યું હતું કે, ગૌતમ ગંભીર માટે મેદાન પર આવું વર્તન કરવું અયોગ્ય છે કારણ કે તે માત્ર IPL ફ્રેન્ચાઇઝીના મેન્ટર નથી પણ પશ્ચિમ દિલ્હીના લોકસભા સાંસદ પણ છે.
રજત શર્માએ પણ ટ્વિટ કર્યું હતું. તેમણે લખ્યું કે, 'લોકડાઉન દરમિયાન મતવિસ્તારમાંથી ભાગી ગયેલો વ્યક્તિ હીરો તરીકે જોવા માટે ખૂબ જ ઉત્સુક છે, જે તે તેના રમતના દિવસોમાં કરી શક્યો ન હતો. તમે જ ક્રિકેટથી ભાગી ગયા હતા અને હવે તમે બીજાને કાયર કહો છો. હિંમત હોય તો મારું નામ લઈને બોલો.
તમને જણાવી દઈએ કે રજત શર્મા દિલ્હી અને ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (DDCA)ના વડા રહી ચૂક્યા છે. પરંતુ નવેમ્બર 2019 માં, તેમણે વધુ કામના ભારણના દબાણ હેઠળ તેમના પદ પરથી રાજીનામું આપ્યું. તેમજ ઈન્ડિયા ટીવી પર તેમનો પ્રખ્યાત ઈન્ટરવ્યુ શો 'આપકી અદાલત' પણ લાંબા સમયથી ચાલી રહ્યો છે.
આ પણ વાંચો : RR vs GT : 17 વિકેટ વાળા આ બોલરને બનાવી લો કેપ્ટન, 9 ટીમો છે આ બોલરથી પરેશાન