તલાટીની પરીક્ષાની આન્સર કી વેબસાઇટ પર ક્યારે મૂકાશે,હસમુખ પટેલે ટ્વિટ કરી આપી માહિતી
ગુજરાતામાં તલાટીની પરીક્ષા પંચાયત પસંદગી બોર્ડ દ્વારા રવિવારે યોજાઈ હતી. આ પરીક્ષાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પંચાયત પસંદગી બોર્ડ દ્વારા આવતીકાલે એટલે કે બુધવારે વેબસાઇટ પર આન્સર કી મૂકવામાં આવશે. હસમુખ પટેલે ટ્વિટ કરી આ અંગે માહિતી આપી છે. હસમુખ પટેલે ટ્વિટ કરતા કહ્યું કે, તલાટી પરીક્ષાની આન્સર કી આવતીકાલે મૂકવામાં આવશે.
તલાટી પરીક્ષાની આન્સર કી આવતીકાલે મૂકવામાં આવશે.
— Hasmukh Patel (@Hasmukhpatelips) May 9, 2023
તલાટી પરીક્ષાની આન્સર કી અપલોડ થયા બાદ નિયમ મુજબ ઉમેદવારોને વાંધા સૂચન રજૂ કરવા માટે સમય આપવામાં આવશે. વાંધા સુચનોના નિરાકરણ બાદ આખરી પરિણામ તૈયાર કરી જૂન મહિનામાં જાહેર કરવામાં આવશે.
નોંધનીય છે કે, તલાટીની પરીક્ષા માટે 8 લાખ 64 હજાર થી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપવા સંમતિ આપી હતી. 8 લાખ 64 હજાર થી વધુ ઉમેદવારો પૈકી 5 લાખ 72 હજાર 308 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. આ રીતે જોઈએ તો 66.3 ટકા ઉમેદવારો એ તલાટીની પરીક્ષા આપી હતી.
આપણ વાંચો- પાટનગરમાં બિનવારસી કારમાંથી મળ્યો હથિયારનો જથ્થો, સુરક્ષા સામે મોટો સવાલ