કોંગ્રેસનો આભાર કે જાહેરમાં સ્વીકાર્યુ PM ને એકલા નહી હરાવી શકે: સ્મૃતિ ઈરાની
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ વિપક્ષની બેઠકને લઇને કહ્યું, "હું ખાસ કરીને કોંગ્રેસનો આભાર માનું છું કે તેઓ જાહેરમાં જાહેર કરે છે કે તેઓ એકલા pm MODI ને હરાવી શકતા નથી અને આમ કરવા માટે તેમને અન્યના સમર્થનની જરૂર છે" મહિલા અને બાળ વિકાસ કલ્યાણ મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે અમેરિકા સાથે અમારી ભાગીદારી વધી રહી છે. તેમણે કહ્યું કે આપણા દેશમાંથી જે લોકો વિદેશમાં અભ્યાસ કરવા જાય છે તેમાંથી 20 ટકા યુએસમાં અભ્યાસ કરે છે. GE એરોસ્પેસે ભારતમાં ફાઇટર જેટ માટે HAL સાથે કરાર પણ કર્યો હતો. આ સિવાય 2020માં અમેરિકાએ ભારતમાં 51 અબજ ડોલરનું રોકાણ કર્યું હતું. તેમણે કહ્યું કે પર્યાવરણ અને શિક્ષણથી લઈને દરેક ક્ષેત્રમાં અમેરિકા સાથે સહયોગ થઈ રહ્યો છે. મને લાગે છે કે અમેરિકા સાથે ભારતના સંબંધો વધુ મજબૂત હોવા જોઈએ.
મણિપુરમાં હિંસા અંગે વિપક્ષ દ્વારા પીએમ મોદી પર લગાવવામાં આવેલા આરોપો પર સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે તેમના (પીએમ મોદી) પ્રવાસને રાજકીય પ્રવાસ તરીકે ન જુઓ. તેઓ ભારતના વડાપ્રધાન તરીકે અમેરિકા ગયા છે. વિપક્ષ પાસેથી એક જ અપેક્ષા છે કે તેઓ સતત હુમલો કરશે, પરંતુ આ તેમની ક્ષમતા દર્શાવે છે કે તેઓ એકલા લડી શકતા નથી. આ કારણોસર, તેઓ એકબીજામાં ટેકો શોધી રહ્યા છે. આજે વિપક્ષને એક થઇ મોદીને હરાવવા મથામણ કરવી પડે છે તે દર્શાવે છે કે PM મોદી કેટલા સક્ષમ છે
સર્વપક્ષીય બેઠક એવા સમયે બોલાવવામાં આવી
હકીકતમાં, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરુવારે (22 જૂન) આરોપ લગાવ્યો હતો કે મણિપુરના મુદ્દા પર સર્વપક્ષીય બેઠક એવા સમયે બોલાવવામાં આવી છે જ્યારે પીએમ મોદી દેશમાં નથી, જે સ્પષ્ટ કરે છે કે આ બેઠક તેમના માટે મહત્વપૂર્ણ નથી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હિંસાગ્રસ્ત મણિપુરની સ્થિતિ પર ચર્ચા કરવા માટે 24 જૂને સર્વપક્ષીય બેઠક બોલાવી છે.
આપણ વાંચો-‘ગગનયાન’ ઓગસ્ટમાં ભરશે ઉડાન, ISRO પ્રમુખે આપી માહિતી