ISKCON Bridge Accident Case : તથ્ય પટેલનું લાયસન્સ કાયમી ધોરણે રદ
અમદાવાદ (Ahmedabad)ના ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ (ISKCON Bridge Accident Case)ના આરોપી તથ્ય પટેલનું લાયસન્સ કાયમી ધોરણે રદ કરવામાં આવ્યું છે. અમદાવાદ આરટીઓ (RTO)એ તથ્યનું લાયસન્સ રદ કર્યું છે. તથ્ય પટેલે ભુતકાળમાં પણ આ પ્રકારે 3 અકસ્માત સર્જ્યા હતા ગઇ 19...
Advertisement
અમદાવાદ (Ahmedabad)ના ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ (ISKCON Bridge Accident Case)ના આરોપી તથ્ય પટેલનું લાયસન્સ કાયમી ધોરણે રદ કરવામાં આવ્યું છે. અમદાવાદ આરટીઓ (RTO)એ તથ્યનું લાયસન્સ રદ કર્યું છે.
તથ્ય પટેલે ભુતકાળમાં પણ આ પ્રકારે 3 અકસ્માત સર્જ્યા હતા
ગઇ 19 જુલાઇએ અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર ફુલ સ્પીડમાં જેગુઆર કાર ચલાવી તથ્ય પટેલે 10 નિર્દોષ વ્યક્તિના જીવ લીધા હતા. ત્યારબાદ પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ માટે રિમાન્ડ મેળવ્યા હતા. બીજી તરફ પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો હતો કે તથ્ય પટેલે ભુતકાળમાં પણ આ પ્રકારે 3 અકસ્માત સર્જ્યા હતા. તથ્યના ભુતકાળની તપાસ કરીને અમદાવાદ આરટીઓએ તથ્ય પટેલનું ડ્રાઇવિંગ લાયસન્સ કાયમ માટે રદ કરી દીધું હતું.
ટ્રાફિકને લગતાં ગુનાઓ વારંવાર આચર્યા
તથ્ય પટેલે ટ્રાફિકને લગતાં ગુનાઓ વારંવાર આચર્યા હતા અને તેના કારણે તેનું લાયસન્સ રદ કરી દેવાયું છે. તથ્ય પટેલની ભયંકર બેદરકારીને તેના પિતા તથ્ય પટેલે વારંવાર છાવરી હતી. તથ્યએ શીલજ રોડ પર જેગુઆર કાર પુરઝડપે ચલાવીને થાંભલા સાથે અથડાવી હતી તો સિંધુ ભવન રોડ પર પણ તેણે ફુલ સ્પીડમાં થારને ચલાવીને એક કાફેમાં ઘુસાડી દીધી હતી. આ ઘટનાના સીસી ટીવી પણ પોલીસને મળી આવ્યા હતા. તથ્ય પટેલ હાલ જેલના સળીયા ગણી રહ્યો છે.
આરટીઓએ કાર્યવાહી કરી
પ્રાપ્ત માહિતી મુજબ ટ્રાફિક પોલીસે આરટીઓને તથ્યનું લાયસન્સ રદ કરવા પત્ર લખ્યો હતો જેના અનુસંધાનમાં આરટીઓએ આ કાર્યવાહી કરી હતી.