Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Swachh Bharat Mission : સ્વચ્છતા અભિયાન હેઠળ PM મોદીએ શ્રમદાન કર્યું, અંકિત બૈયાનપુરિયા સાથે કરી સફાઈ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે (1 ઓક્ટોબર) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સ્વચ્છતા અભિયાન પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં તે સ્વચ્છતા અભિયાન હેઠળ શ્રમ દાન કરતા જોઈ શકાય છે. વીડિયોમાં હરિયાણાના અંકિત બૈયાનપુરિયા પણ છે, જેમણે '75 દિવસની...
01:17 PM Oct 01, 2023 IST | Dhruv Parmar

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે (1 ઓક્ટોબર) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સ્વચ્છતા અભિયાન પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં તે સ્વચ્છતા અભિયાન હેઠળ શ્રમ દાન કરતા જોઈ શકાય છે. વીડિયોમાં હરિયાણાના અંકિત બૈયાનપુરિયા પણ છે, જેમણે '75 દિવસની હાર્ડ ચેલેન્જ' પૂર્ણ કરી છે, જે આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ છે. બંને લોકો સફાઈ અને ઝાડુ કરતા જોઈ શકાય છે.

જ્યારે પીએમ મોદી 2014માં પહેલીવાર વડાપ્રધાન બન્યા ત્યારે તેમણે તે વર્ષે 2 ઓક્ટોબરે ગાંધી જયંતિના અવસરે સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરી હતી. આ ઝુંબેશ હેઠળ લોકોને તેમની આસપાસની જગ્યાઓને સ્વચ્છ રાખવા માટે કહેવામાં આવે છે. લોકોને અપીલ કરવામાં આવે છે કે તેઓ તેમની આસપાસની જગ્યાને સ્વચ્છ રાખવા ઉપરાંત પર્યાવરણની પણ સુરક્ષા કરે. દર વર્ષે ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે, PM મોદી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતિના એક દિવસ પહેલા આજે સવારે 10 વાગ્યે આ અભિયાનની શરૂઆત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X દ્વારા લોકોને તેમના પરિવારો સાથે આ અભિયાનમાં જોડાવા માટે અપીલ કરી છે. દેશના વિવિધ ભાગોમાં આ અભિયાનમાં ઘણા મોટા નેતાઓ પણ જોડાયા છે.

ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા અને જલ શક્તિ મંત્રી ગજેન્દ્ર શેખાવત દિલ્હીમાં શ્રમદાન કર્યું છે. રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ ગુરુગ્રામમાં શ્રમદાન કરશે. તે જ સમયે, મુંબઈમાં આ અભિયાન માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં સીએમ શિંદે, ડેપ્યુટી સીએમ ફડણવીસ અને ડેપ્યુટી સીએમ અજિત પવાર ભાગ લેવાના છે.

આઆ પણ વાંચો : વરુણ ગાંધીએ યોગી સરકાર પર કટાક્ષ કર્યો, કહ્યું- ‘નામ સામે નારાજગીથી લાખોનું કામ બગડશે…!

Tags :
Ankit BaiyanpuriyaGandhi JayantiIndiaNarendra ModiNationalpm modiPM Modi Ankit BaiyanpuriyaPM Narendra Modi Ankit Baiyanpuriya VideoVideo
Next Article