surya Gocha: શનિ ગોચર અને સૂર્ય ગ્રહણ, આ 4 રાશિઓને કરી દેશે માલામાલ
- શનિ ગોચર તથા સૂર્ય ગ્રહણની દુર્લભ સંયોગ
- આ 4 રાશિ માટે શુભ રહેશે
- શનિ મીન રાશિમાં પ્રવેશ કરશે
surya Gocha:શનિ ગોચર તથા સૂર્ય ગ્રહણ (surya Gocha)બંને જ ઘટના મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. આ સમયે શનિ સ્વરાશિ કુંભમાં ગોચર કરી રહ્યાં છે. વર્ષ 2024માં શનિનું કોઇ ગોચર નહી થાય. આગામી વર્ષે એટલે કે 2025માં શનિ દેવગુરુ બૃહસ્પતિની મીન રાશિમાં પ્રવેશ કરશે. 29 માર્ચ 2025ના રોજ રાતે 11 વાગીને 01 મિનિટે શનિ રાશિ પરિવર્તન થશે. શનિ કુંભ રાશિમાંથી નીકળીને મીન રાશિમાં પ્રવેશ કરી જશે. શનિ મીન રાશિમાં અઢી વર્ષ રહેશે. આ દિવસે જ સૂર્ય ગ્રહણ લાગશે. જેમાં 4 રાશિના લોકો માટે શુભ માનવામાં આવે છે. ચાલો જાણીએ આ 4 રાશિયો વિશે..
મીન રાશિ
મીન રાશિના લોકો માટે શનિ ગોચર ખૂબ જ શુભ રહેશે. મીન રાશિના લોકોની આવકમાં વધારો થશે. નોકરી બદલવા માટે સારો સમય છે. મીન રાશિના લોકો પોતાનું ઘર ખરીદવાનું સપનું પૂરું કરી શકે છે.
ધન રાશિ
ધન રાશિ માટે શનિનું ગોચર આર્થિક લાભ લઈને આવી રહ્યું છે. ધન રાશિના લોકોની આવકમાં વધારો થશે. તમે નવું કામ શરૂ કરી શકો છો.
આ પણ વાંચો -Santana: કાચી માટી કા એક કુંભ બનાયા જી, માંહી પવનયંત્ર લગાયા જી
તુલા રાશિ
તુલા રાશિ માટે શનિનું ગોચર ખૂબ જ ભાગ્યશાળી સાબિત થશે. તુલા રાશિના લોકોના અટકેલા કામ પૂરા થશે. જૂના રોકાણથી તમને આર્થિક લાભ મળશે.
આ પણ વાંચો -Abu Dhabi-BAPS મંદિરને સાંસ્કૃતિક પ્રોજેક્ટ તરીકે શ્રેષ્ઠતાનો એવોર્ડ
મિથુન રાશિ
મિથુન રાશિના લોકો માટે શનિનું ગોચર ભાગ્યશાળી સાબિત થશે. આ રાશિના વ્યક્તિને દરેક કાર્યમાં સફળતા મળશે. તમારા લાંબા સમયથી અટકેલા કામ પૂરા થશે. તમને આર્થિક લાભ પણ મળશે. જે લોકો ઘર ખરીદવા માંગે છે, તેમનું સપનું પૂર્ણ થઈ શકે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે અને ગુજરાત ફર્સ્ટ તેની પુષ્ટિ કરતું નથી.