મમતાને શિવસેના ઉદ્ધવ જૂથનું સમર્થન, India બ્લોકમાં ખળભળાટ
- ફરી એકવાર ઈન્ડી જોડાણમાં વિખવાદ જોવા મળ્યો
- ઇન્ડિયા ગઠબંધનને યોગ્ય દિશા આપવા માટે સારા નેતૃત્વની જરૂર હોવાનું મમતાનું નિવેદન
- મમતા બેનર્જીના નિવેદનને શિવસેના ઉદ્ધવ જૂથનું સમર્થન પણ મળી ગયું
India Alliance : ફરી એકવાર ઈન્ડી જોડાણમાં વિખવાદ જોવા મળી રહ્યો છે. પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ તાજેતરમાં કહ્યું હતું કે ઇન્ડિયા ગઠબંધન (India Alliance ) ને યોગ્ય દિશા આપવા માટે સારા નેતૃત્વની જરૂર છે. હવે તેમને ઉદ્ધવ જૂથનું સમર્થન પણ મળી ગયું છે. ભાજપે પણ આ નિવેદન પર ઝાટકણી કાઢી છે.
ઉદ્ધવ જૂથનું સમર્થન મળ્યું
શિવસેના-યુબીટીએ પણ ઈશારામાં મમતાને સમર્થન આપ્યું છે. ઉદ્ધવ જૂથના નેતા પ્રિયંકા ચતુર્વેદીએ મમતાના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે તે્મણે પોતાનું મન વ્યક્ત કર્યું છે અને આ અંગે અંતિમ નિર્ણય વરિષ્ઠ નેતાઓ લેશે.
#WATCH | Delhi: On West Bengal CM Mamata Banerjee's reported statement 'willing to lead INDIA alliance', Shiv Sena (UBT) MP Priyanka Chaturvedi says, " She has put forward her statement. Because she has shown a successful model in West Bengal where she has kept BJP away from… pic.twitter.com/gc3Q6Ft6yD
— ANI (@ANI) December 7, 2024
મમતાએ ભાજપને સત્તાથી દૂર રાખ્યો છે
ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતા પ્રિયંકાએ કહ્યું કે મમતાએ પશ્ચિમ બંગાળમાં સફળ મોડલ રજૂ કરીને પોતાની વાત રાખી છે. પ્રિયંકાએ કહ્યું કે મમતાએ ભાજપને સત્તાથી દૂર રાખ્યો છે અને સારી કલ્યાણકારી યોજનાઓ લાગુ કરી છે. તેમના ચૂંટણી અનુભવ અને લડાઈની ભાવનાના કારણે તેમણે ઈચ્છા વ્યક્ત કરી છે.
આ પણ વાંચો---MVAમાં પડી તિરાડ, સપાએ છોડ્યું ગઠબંધન
બીજેપીના પ્રવક્તા પ્રદીપ ભંડારીએ કર્યો કટાક્ષ
#WATCH | Delhi: On West Bengal CM Mamata Banerjee's reported statement 'willing to lead INDIA alliance', BJP leader Pradeep Bhandari says, "No leader of the INDI alliance believes in the leadership of Rahul Gandhi and Priyanka Vadra. The INDI alliance believes that Rahul Gandhi… pic.twitter.com/zP4kYFrtI2
— ANI (@ANI) December 7, 2024
બીજેપીના પ્રવક્તા પ્રદીપ ભંડારીએ કહ્યું કે ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ પોતે રાહુલ ગાંધીને નેતૃત્વ કરવા માટે યોગ્ય માનતા નથી. તેમણે કહ્યું કે ઇન્ડિયા ગઠબંધનના નેતાઓમાં મૂંઝવણ છે. તેમણે કહ્યું કે આ ગઠબંધનમાં દરેક વ્યક્તિ પોતાને નેતા માને છે.
મમતાએ આ નિવેદન આપ્યું હતું
વાસ્તવમાં, મમતા બેનર્જીએ તાજેતરમાં કહ્યું હતું કે ઇન્ડિયા ગઠબંધનમાં નેતૃત્વ પર વસ્તુઓ સ્પષ્ટ હોવી જોઈએ. મમતાએ કહ્યું હતું કે ગઠબંધનને સક્ષમ નેતૃત્વની જરૂર છે. એક બંગાળી ચેનલ સાથે વાત કરતાં તેણે કહ્યું કે મેં ઇન્ડિયા ગઠબંધન કર્યું હતું, પરંતુ હવે તેને યોગ્ય સંચાલનની જરૂર છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેઓ તેનું નેતૃત્વ કેમ નથી કરતા તો તેમણે કહ્યું કે જો તક આપવામાં આવે તો હું તે કરવા તૈયાર છું.
આ પણ વાંચો---નાયબ મુખ્યમંત્રી બનતાં જ Ajit Pawarને મળી મોટી રાહત