Congress ના વરિષ્ઠ નેતા અને પૂર્વ વિદેશ મંત્રી નટવર સિંહનું નિધન, પાકિસ્તાનમાં પણ આપી હતી આ સેવા...
- નટવર સિંહનું લાંબી બીમારી બાદ શનિવારે રાત્રે નિધન
- સુરજેવાલાએ શોક વ્યક્ત કર્યો હતો...
- રાજસ્થાનના CM એ દુઃખ વ્યક્ત કર્યું...
પૂર્વ વિદેશ મંત્રી નટવર સિંહનું લાંબી બીમારી બાદ શનિવારે રાત્રે નિધન થયું હતું. તેઓ 93 વર્ષના હતા. તેમણે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા, જ્યાં તેઓ રોગની સારવાર માટે છેલ્લા ઘણા અઠવાડિયાથી દાખલ હતા. નટવર સિંહનો જન્મ 1931 માં રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં થયો હતો. નટવર સિંહના અંતિમ સંસ્કાર રવિવારે દિલ્હીમાં થવાના છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી અસ્વસ્થ હતા.
સુરજેવાલાએ શોક વ્યક્ત કર્યો હતો...
કોંગ્રેસ (Congress)ના દિગ્ગજ નેતા રણદીપ સુરજેવાલાએ નટવર સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. સુરજેવાલાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, 'પૂર્વ વિદેશ મંત્રી નટવર સિંહના નિધનના સમાચાર દુઃખદ છે. ભગવાન તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે અને દિવંગત આત્માને શાંતિ આપે.
पूर्व विदेश मंत्री नटवर सिंह जी के निधन का समाचार दुखद है ।
ईश्वर उनके परिजनों को यह क्षति सहने की शक्ति दे और दिवंगत आत्मा को सदगति प्रदान करें। pic.twitter.com/WAP3HQJlgF
— Randeep Singh Surjewala (@rssurjewala) August 10, 2024
2004 થી 2005 સુધી વિદેશ મંત્રી...
કોંગ્રેસ (Congress)ના ભૂતપૂર્વ સાંસદ નટવર સિંહ તત્કાલીન PM મનમોહન સિંહની આગેવાની હેઠળની યુપીએ-1 સરકાર દરમિયાન 2004-05 ના સમયગાળા માટે ભારતના વિદેશ પ્રધાન હતા. તેમણે પાકિસ્તાનમાં રાજદૂત તરીકે પણ સેવા આપી હતી. તેઓ 1966 થી 1971 સુધી PM ઈન્દિરા ગાંધીના કાર્યાલય સાથે પણ જોડાયેલા હતા.
આ પણ વાંચો : ટ્યુશન ટીચરે પ્રેમ જાળમાં ફસાવી વિદ્યાર્થીને આત્મહત્યા કરવા પર કર્યો મજબૂર
રાજસ્થાનના CM એ દુઃખ વ્યક્ત કર્યું...
રાજસ્થાનના CM ભજનલાલ શર્માએ નટવર સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. CM ભજનલાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું ભગવાન શ્રી રામ દિવંગત આત્માને પોતાના ચરણોમાં સ્થાન આપે અને શોકની આ ઘડીમાં શોકાતુર પરિવારને શક્તિ પ્રદાન કરે તેવી પ્રાર્થના.
भारत सरकार में पूर्व विदेश मंत्री, पद्म विभूषण से सम्मानित कु. नटवर सिंह जी के निधन का समाचार अत्यन्त दुःखद है।
प्रभु श्रीराम जी से प्रार्थना है कि दिवंगत आत्मा को अपने श्रीचरणों में स्थान तथा शोकाकुल परिवार को इस दुख की घड़ी में संबल प्रदान करें ।ॐ शांति! pic.twitter.com/hwcUNjWwh3
— Bhajanlal Sharma (@BhajanlalBjp) August 10, 2024
આ પણ વાંચો : ક્રાંતિવીર અને શહીદોની યાદમાં યુવકે પોતાનું શરીર કર્યું કુરબાન, જુઓ વીડિયો
નટવર સિંહે ઘણા પુસ્તકો લખ્યા...
તમને જણાવી દઈએ કે નટવર સિંહને વર્ષ 1984 માં પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા. નટવર સિંહે ઘણા પુસ્તકો પણ લખ્યા છે. નટવર સિંહની ગણતરી કોંગ્રેસ (Congress)ના દિગ્ગજ નેતાઓમાં થતી હતી. તેઓ વિદેશી બાબતોના ખૂબ જ જાણકાર હતા.
આ પણ વાંચો : વાયનાડની વેદના જોઈ PM મોદી પહોંચ્યા મુલાકાતે, રાહત અને પુનર્વસનના આપ્યા આદેશ