Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Love Triangle ના કારણે સાહિલે સગીરાને રહેંસી નાંખી, ચોંકાવનારો ખુલાસો..!

દિલ્હી મર્ડર કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પ્રવિણ નામના યુવક સાથેના સંબંધના કારણે ઉશ્કેરાયેલા સાહિલે સગીરાની હત્યા કરી હોવાનું તારણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. સગીરાના હાથ પર પ્રવિણના નામનું ટેટુ પણ હતું અને સગીરા સાહિલ સાથે સંબંધ રાખવા માગતી...
10:59 PM May 29, 2023 IST | Vipul Pandya
દિલ્હી મર્ડર કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પ્રવિણ નામના યુવક સાથેના સંબંધના કારણે ઉશ્કેરાયેલા સાહિલે સગીરાની હત્યા કરી હોવાનું તારણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. સગીરાના હાથ પર પ્રવિણના નામનું ટેટુ પણ હતું અને સગીરા સાહિલ સાથે સંબંધ રાખવા માગતી ના હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.
છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી
દિલ્હીના શાહબાદ વિસ્તારમાં રવિવારે મોડી રાત્રે એક યુવકે એક સગીર છોકરીની છરીના ઘા મારીને હત્યા કરી નાખી હતી. પોલીસે તેની ધરપકડ કરી છે. યુવકનું નામ સાહિલ છે. સગીરાના હત્યારા સાહિલની દિલ્હી પોલીસે બુલંદશહેરના પહાસુ પોલીસ સ્ટેશન વિસ્તારના અટેર્ના ગામમાંથી ધરપકડ કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સાહિલે હત્યા કર્યા બાદ પોતાનો મોબાઈલ સ્વીચ ઓફ કરી દીધો હતો. જે બાદ તે બસ દ્વારા બુલંદશહરમાં તેની માસીના ઘરે ગયો હતો. આ જઘન્ય હત્યા બાદ પોલીસે સક્રિયતા દાખવી હતી અને પૂછપરછ બાદ પોલીસને સાહિલનું લોકેશન મળ્યું હતું. જ્યારે સાહિલે સગીરાને રોકીને તેની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે સગીરાએ તેની પાસે રમકડાની પિસ્તોલ હોવાનું બતાવીને સાહિલને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે પછી સાહિલે તેને છરીના ઘા મારી હત્યા કરી હતી. ત્યારબાદ ભારે પથ્થર વડે તેનું માથું કચડી નાખ્યું.
પ્રણય ત્રિકોણના કિસ્સાનો ખુલાસો
સૂત્રોના જણાવ્યા પ્રમાણે સગીરાના હાથ પર પ્રવીણ નામનું ટેટૂ પણ હતું. પ્રવીણ સાહિલ અને સગીરાનો મિત્ર રહ્યો છે. જેના કારણે સગીરા અને સાહિલ વચ્ચે ઝઘડો થયો હતો. સગીરા અને સાહિલ છેલ્લા 3 વર્ષથી સારા મિત્રો હતા. સગીરા હવે સાહિલથી અલગ થવા માંગતી હતી. પણ સાહિલ આ વાતથી ગુસ્સે હતો. શનિવારે બંને વચ્ચે મારામારી પણ થઈ હતી. જેમાં સગીરાએ સાહિલને પોલીસ ફરિયાદ કરવાની ધમકી પણ આપી હતી. આ કારણે સાહિલને સગીરા પર ગુસ્સો આવતો હતો.
હત્યા બાદ સાહિલ તેની માસીના ઘરે ગયો હતો.
સગીરાની હત્યા બાદ સાહિલ ઘટના બાદ અટેરણા ગામમાં તેની કાકી શમીમ ઉર્ફે શમ્મોના ઘરે આવીને સંતાઈ ગયો હતો. દિલ્હીના ઈન્સ્પેક્ટર પ્રવીણ અને ઘનશ્યામ મીણાએ પહાસુ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધ્યો હતો. સાંજે 5:15 વાગ્યે, સાહિલના પિતા સરફરાઝને પહાસુ પોલીસ સ્ટેશનમાં દિલ્હી પોલીસની ટીમ બુલંદશહર લઈ ગઈ હતી, ત્યારબાદ સાહિલની ધરપકડ કરવામાં આવી હતી.
સગીરા તેના મિત્રના પુત્રના જન્મદિવસે ગઈ હતી
સગીરા રવિવારે  પુત્રના જન્મદિવસમાં હાજરી આપવા માટે તેની મિત્ર નીતુના ઘરે ગઈ હતી અને ત્યાં તેના જન્મદિવસની સજાવટમાં તેની મદદ કરી. આ પછી તે જેજે કોલોનીમાં બનેલા પબ્લિક ટોયલેટમાં કપડા બદલવા ગઇ હતી જેની બહાર સાહિલ હાજર હતો અને બોલાચાલી બાદ સાહિલે સગીરા પર હુમલો કર્યો હતો.
આ પણ વાંચો---મારી દીકરીના હત્યારાને કડક સજા આપો…સગીરાના માતા-પિતાની માગ
Tags :
Delhi murder caseDelhi PoliceLove Triangle
Next Article