Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

RSS Caste census: જાતિ આધારિત વસતી ગણતરી મુદ્દે RSS એ આપ્યું મોટું નિવેદન

જાતિ આધારિત વસ્તી ગણતરી મુદ્દે  RSSનું નિવેદન જાતિની વસ્તી ગણતરી સંવેદનશીલ મુદ્દો RSSએ કહ્યું - તેનો ઉપયોગ ચૂંટણી હેતુ માટે ન થવો જોઈએ સમાજની એકતા-અખંડિતતાને જોખમમાં મૂકી શકે RSS Caste census: RSSએ જાતિ આધારિત વસ્તી ગણતરી ( RSS Caste...
rss caste census  જાતિ આધારિત વસતી ગણતરી મુદ્દે rss એ આપ્યું મોટું નિવેદન
  • જાતિ આધારિત વસ્તી ગણતરી મુદ્દે  RSSનું નિવેદન
  • જાતિની વસ્તી ગણતરી સંવેદનશીલ મુદ્દો
  • RSSએ કહ્યું - તેનો ઉપયોગ ચૂંટણી હેતુ માટે ન થવો જોઈએ
  • સમાજની એકતા-અખંડિતતાને જોખમમાં મૂકી શકે

RSS Caste census: RSSએ જાતિ આધારિત વસ્તી ગણતરી ( RSS Caste censu)અને મહિલા સુરક્ષા જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર મહત્ત્વપૂર્ણ નિવેદનો આપ્યા છે. સંગઠને સમાજની એકતા અને અખંડિતતા જાળવવા જાતિ આધારિત ગણતરી ( RSS Caste censu)અંગે પોતાની ચિંતા વ્યક્ત કરી છે, જ્યારે મહિલાઓની સુરક્ષા માટે નવા પગલાં લેવાની વાત કરી છે. RSSની હાલની બેઠકમાં આ મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી, જેમાં સમાજના વિવિધ મુદ્દાઓ પર વિચાર વિમર્શ કરીને ભવિષ્ય માટે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા.

Advertisement

જાતિની વસ્તી ગણતરી સંવેદનશીલ મુદ્દો

કેરળમાં આયોજિત RSSની ત્રિદિવસીય બેઠકમાં RSSએ જાતિની વસ્તી ગણતરી (RSS Caste censu)અને મહિલા સુરક્ષા જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર મહત્વપૂર્ણ નિવેદનો આપ્યા છે. સંસ્થાએ સમાજની એકતા અને અખંડિતતા જાળવવા જાતિ ગણતરી અંગે પોતાની ચિંતા વ્યક્ત કરી છે, જ્યારે મહિલાઓની સુરક્ષા માટે નવા કડક પગલાં લેવાનો હુંકાર ભર્યો છે.

Advertisement

આ પણ  વાંચો -Kolkata Murder Case : મુખ્ય આરોપીએ કહ્યું - હું તો નિર્દોષ છું, મને...

RSSએ શું કહ્યું?

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે જાતિગત ગણતરી(RSS Caste censu)ને એક સંવેદનશીલ મુદ્દો ગણાવતા કહ્યું કે જાતિ આધારિત વસ્તી ગણતરી સમાજની એકતા અને અખંડિતતાને જોખમમાં મૂકી શકે છે. તમામ રાજકીય પક્ષોને સલાહ આપી કે જાતિગત વસ્તી ગણતરીનો ઉપયોગ રાજકીય સત્તા પ્રચાર અને ચૂંટણી હેતુઓ માટે થવો જોઈએ નહીં પરંતુ કલ્યાણકારી હેતુઓ માટે અને ખાસ કરીને દલિત સમુદાયની સંખ્યા જાણવા માટે સંખ્યા ગણી શકાય છે.RSSના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકરે જણાવ્યું કે જાતિ સંબંધિત પ્રતિક્રિયાઓ આપણા સમાજમાં એક સંવેદનશીલ મુદ્દો છે અને તે રાષ્ટ્રીય એકતા માટે મહત્વપૂર્ણ છે. લોકહિત, લોકકલ્યાણ યોજનાઓના ઘડતર માટે જાતિ પ્રમાણે સંખ્યા જાણવા માટે સરકારને તેમની સંખ્યા ગણવાનો અધિકાર છે.

Advertisement

આ પણ  વાંચો -Jammu : વૈષ્ણોદેવી ભવન રોડ પર ભૂસ્ખલનથી 3 લોકોના મોત

કોલકાતાની ઘટનાને વખોડી

પશ્ચિમ બંગાળમાં તાજેતરમાં બનેલી દુર્ભાગ્યપૂર્ણ ઘટના અંગે પણ બેઠકમાં વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. RSS એ મહિલાઓની સુરક્ષા માટે મહિલા કાયદામાં સુધારો કરીને કડક કરવાની સમાજની માનસિકતા સહિતના મુદ્દાઓ ઉઠાવ્યા છે. કાયદાકીય, જાગૃતિ, મૂલ્યો, શિક્ષણ અને સ્વ-બચાવનો સમાવેશ કરતા પાંચ મોરચે મહિલા સુરક્ષાની ચર્ચા કરવામાં આવી હતી. આ મોરચે RSS દ્વારા મહિલા સુરક્ષા અભિયાન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સિવાય બાંગ્લાદેશમાં હિંદુઓ અને લઘુમતીઓના મુદ્દાને લઈને પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી અને સરકારને આ અંગે પગલાં લેવા વિનંતી કરવામાં આવી છે. અંતે, RSSએ અહલ્યાબાઈની 300મી જન્મજયંતિ ઉજવવાનું નક્કી કર્યું અને સંગઠનના 100 વર્ષ પૂરા થવાને ચિહ્નિત કરવા પંચ પરિવર્તન હેઠળ સામાજિક પરિવર્તન માટે કામ કરવાનું આયોજન કર્યું છે.

Tags :
Advertisement

.