Mamata,બંગાળમાં દુષ્કર્મના 48,600 કેસ પેન્ડિંગ.કેન્દ્રનો પત્ર...
- કોલકાતામાં મહિલા તાલીમાર્થી ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાને લઈને ભાજપ અને ટીએમસી વચ્ચે વિવાદ વકર્યો
- પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બીજો પત્ર લખ્યો
- કેન્દ્ર સરકારે ભારપૂર્વક જણાવ્યું કે હાલના કાયદાઓ હિંસા અને મહિલાઓ સામેના ગુનાઓનો સામનો કરવા માટે પૂરતા કડક
- બંગાળમાં દુષ્કર્મના 48,600 કેસ પેન્ડિંગ
Mamata Banerjee : કોલકાતામાં મહિલા તાલીમાર્થી ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાને લઈને ભાજપ અને ટીએમસી વચ્ચે વિવાદ વકર્યો છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee) એ શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બીજો પત્ર લખ્યો હતો. આ પત્રમાં મમતા બેનર્જીએ દુષ્કર્મ અને હત્યા જેવા જઘન્ય અપરાધો માટે કડક કેન્દ્રીય કાયદા અને કઠોર સજાની માંગ કરી છે. મુખ્ય પ્રધાનના પત્ર લખ્યાના કલાકો પછી, કેન્દ્ર સરકારે ભારપૂર્વક જણાવ્યું હતું કે હાલના કાયદાઓ હિંસા અને મહિલાઓ સામેના ગુનાઓનો સામનો કરવા માટે પૂરતા કડક છે
માહિતી હકીકતમાં ખોટી
બંગાળમાં બળાત્કારના 48,600 કેસ પેન્ડિંગ છે
કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને પત્ર લખીને જવાબ આપ્યો છે. તેમણે કહ્યું, 'ફાસ્ટ ટ્રેક સ્પેશિયલ કોર્ટ (એફટીએસસી) ખાસ કરીને દુષ્કર્મ અને પોક્સો એક્ટના મામલાઓ સાથે વ્યવહાર કરવા માટે બનાવવામાં આવી છે. પશ્ચિમ બંગાળમાં 48,600 બળાત્કાર અને પોક્સો કેસ પેન્ડિંગ હોવા છતાં, રાજ્યએ વધારાના 11 FTSC કાર્યરત કર્યા નથી, જે રાજ્યની જરૂરિયાત મુજબ દુષ્કર્મ અને POCSO બંને કેસો સાથે કામ કરતી વિશેષ POCSO અદાલતો અથવા સંયુક્ત FTSC હોઈ શકે છે.'
આ પણ વાંચો--- BJP ના બંગાળ બંધ પર મમતા સરકારનો જવાબ, કહ્યું- કોઈ પરવાનગી આપવામાં આવી નથી...
- કોલકાતામાં મહિલા તાલીમાર્થી ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાને લઈને ભાજપ અને ટીએમસી વચ્ચે વિવાદ વકર્યો
- પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બીજો પત્ર લખ્યો
- કેન્દ્ર સરકારે ભારપૂર્વક જણાવ્યું કે હાલના કાયદાઓ હિંસા અને મહિલાઓ સામેના…— Gujarat First (@GujaratFirst) August 31, 2024
માહિતી હકીકતમાં ખોટી છે
"Information contained in your letter...is factually incorrect": Centre slams Mamata Banerjee
Read @ANI story | https://t.co/SxnQfZK9li#MamtaBanerjee #AnnapurnaDevi #FastTrackSpecialCourt pic.twitter.com/uTTfrFQn3d
— ANI Digital (@ani_digital) August 30, 2024
આ સાથે, કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે જોઈ શકાય છે કે, આ સંદર્ભમાં તમારા પત્રમાં આપવામાં આવેલી માહિતી હકીકતમાં ખોટી છે અને એવું લાગે છે કે આ રાજ્ય દ્વારા ફાસ્ટ ટ્રેક સ્પેશિયલ કોર્ટ (એફટીએસસી) ને શરુ કરવામાં થયેલા વિલંબને છૂપાવવાની દિશામાં લેવાયેલું પગલું છે.
સરકારે કડક કાયદો બનાવ્યો
કેન્દ્રીય મંત્રી અન્નપૂર્ણા દેવીએ જણાવ્યું હતું કે, મહિલાઓ વિરુદ્ધ હિંસા અને અપરાધનો સામનો કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલા કાયદા વ્યાપક અને તદ્દન કડક છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું, 'જો રાજ્ય સરકાર કેન્દ્રીય કાયદાઓનું બરાબર પાલન કરશે, તો તે ફોજદારી ન્યાય પ્રણાલીને મજબૂત બનાવવામાં ચોક્કસપણે મદદ કરશે. ગુનેગારોને સખત પરિણામોનો સામનો કરવો પડશે.
મમતાએ પીએમ મોદીને બે વાર પત્ર લખ્યો હતો
તમને જણાવી દઈએ કે ઓગસ્ટમાં કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં 31 વર્ષીય મહિલા તાલીમાર્થી ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાને લઈને દેશવ્યાપી આક્રોશ બાદ મમતા બેનર્જીએ હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ મુદ્દે પત્ર લખ્યો હતો. તેમણે દુષ્કર્મ અને હત્યાના કેસોના સમયબદ્ધ નિકાલ માટે ફરજિયાત જોગવાઈની માંગ કરી હતી.
આ પણ વાંચો---- IMA નો મોટો નિર્ણય, RG Kar Medical College ના પૂર્વ આચાર્ય સંદીપ ઘોષનું સભ્યપદ સસ્પેન્ડ