Kanpur : માત્ર દશેરાના દિવસે ખુલતું રાવણનું મંદિર, વાંચો અહેવાલ
આજે દેશભરમાં ભારે ધામધૂમપૂર્વક દશેરાનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. દશેરાના દિવસે રાવણનું દહન કરવામાં આવે છે, જે અસત્ય પર સત્યના વિજય તરીકે જોવામાં આવે છે. જો કે દેશમાં ઘણી એવી જગ્યાઓ છે જ્યાં રાવણની પૂજા પણ કરવામાં આવે છે. ઉત્તર પ્રદેશના કાનપુરમાં દશાનન નામનું મંદિર છે. જે વર્ષો જુનું છે. આ મંદિરમાં મહાન પંડિત અને વિદ્વાન રાવણની પૂજા કરવામાં આવે છે.
દશેરાના દિવસે રાવણની પૂજા
દશાનન મંદિરના પૂજારી રામ બાજપેયીએ મીડિયાને જણાવ્યું કે અમે આજે આ મંદિર ખોલીએ છીએ અને દશેરાના દિવસે રાવણની પૂજા કરીએ છીએ અને પછી સાંજે પૂતળા દહન કર્યા પછી અમે આ મંદિર બંધ કરીએ છીએ. માત્ર તે દશેરાના દિવસે જ ખુલે છે. તેમના જ્ઞાન માટે અમે તેમની પૂજા કરીએ છીએ.
તેલનો દીવો પ્રગટાવવાથી રાવણની કૃપા પ્રાપ્ત થાય છે
એવું માનવામાં આવે છે કે દશેરાના દિવસે અહીં તેલનો દીવો પ્રગટાવવાથી રાવણની કૃપા પ્રાપ્ત થાય છે. ઉત્તર પ્રદેશમાં રાવણના માત્ર બે મંદિરો છે. પ્રથમ નોઈડામાં અને બીજી શિવાલા, કાનપુરમાં. રાવણના દર્શન કરવા માટે સવારથી જ હજારો ભક્તો અહીં ઉમટી પડ્યા હતા. આજે લોકો દૂર-દૂરથી અહીં રાવણના દર્શન કરવા આવે છે. આ પ્રાચીન મંદિર લગભગ દોઢસો વર્ષ જૂનું છે. શિવલાનો મેળો પણ ઘણો પ્રખ્યાત છે. રામલીલા દરમિયાન અહીં ભારે ભીડ એકઠી થાય છે.
આ પણ વાંચો---નાગપુરમાં RSS દ્વારા વિજયાદશમીના ઉત્સવનું આયોજન, મુખ્ય અતિથિ તરીકે શંકર મહાદેવને આપી હાજરી