Rajasthan : અજમેરમાં લોહિયાળ અથડામણ, બે જૂથ વચ્ચેના વિવાદ વચ્ચે ફાયરિંગ
- Rajasthan ના અજમેરમાં ફાયરિંગ
- ફાયરિંગમાં એકનું મોત, અનેક ઘાયલ
- પોલીસે તપાસ હાથ ધરી
રાજસ્થાન (Rajasthan) જમેર જિલ્લામાં રવિવારે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય એક ઘાયલ થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, રૂપનગઢ વિસ્તારમાં જમીનના ટુકડા પર બાંધકામને લઈને બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી, જે કથિત રીતે જૈન સમુદાયના જૂથ સાથે સંબંધિત છે. એક જૂથે બાંધકામનો વિરોધ કર્યો હતો અને આક્ષેપ કર્યો હતો કે સરપંચે ખોટી રીતે જમીન લીઝ પર આપી હતી, જોકે માલિક જૈન સમુદાય આ બાબતથી દૂર છે. કથિત ફાયરિંગની ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે.
આ ઘટનામાં ગ્રામજનો દ્વારા એક JCB ને આગ ચાંપી દેવામાં આવી હતી. આ લોહિયાળ સંઘર્ષમાં ડરના માર્યા વાહનચાલકો JCB મૂકીને ભાગી ગયા હતા જ્યારે એક વાહન પણ નાળામાં પડી ગયું હતું. લોહિયાળ અથડામણ અને ગોળીબાર બાદ રૂપનગઢ બસ સ્ટેન્ડ અને મુખ્ય બજાર સંપૂર્ણ બંધ રહ્યું હતું. ઘટના બાદ પોલીસકર્મીઓ સ્થળ પર તૈનાત છે અને બદમાશોની શોધ કરવામાં આવી રહી છે. ત્યાં હજુ પણ તણાવ છે.
#WATCH | Rajasthan | On firing in Rupnagar over alleged land dispute, IG Ajmer Omprakash Meghwal says," There was a land dispute between two parties. During a fight between them, there was a firing in which one person died and two were injured. 4 vehicles were impounded in this… pic.twitter.com/GuJi27eKp6
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) September 22, 2024
આ પણ વાંચો : Tirupati Prasad Controversy : લાડુ વિવાદ પર શ્રી શ્રી રવિશંકરનું મોટું નિવેદન, જાણો શું કહ્યું... Video
જુઓ ઘટનાનો વીડિયો...
આ અંગે નાયબ પોલીસ અધિક્ષક સત્યનારાયણે કહ્યું કે કેટલાક લોકો વિવાદિત સ્થળ પર દુકાન બાંધવા આવ્યા હતા અને અન્ય જૂથના લોકો પણ તે જમીન પર માલિકી હક્ક બતાવવા માટે ત્યાં પહોંચ્યા હતા. જ્યારે એક જૂથ જમીન પર પોતાનો અધિકાર સ્થાપિત કરવા માંગતો હતો, ત્યારે બીજા જૂથે વિરોધ કર્યો હતો. બે જૂથો વચ્ચે શરૂ થયેલો વિવાદ એટલો વધી ગયો કે એક પક્ષે બીજા પક્ષે ગોળીબાર કર્યો, જેમાં એક વ્યક્તિનું મોત થયું અને અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો. પોલીસ ટીમે ઘટનાસ્થળે પહોંચીને એક વ્યક્તિની અટકાયત કરી હતી. બે વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસે અન્ય આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે.
આ પણ વાંચો : Amit Shah એ નૌશેરામાં કોંગ્રેસ અને આતંકવાદ પર કર્યા પ્રહાર, કહ્યું- 'ગોળીઓનો જવાબ ગોળા વડે આપીશું...