Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Pope Francis passes away : પોપ ફ્રાન્સિસના નિધન પર ભારતમાં ત્રણ દિવસનો રાજકીય શોક જાહેર કરાયો

22 અને 23 એપ્રિલે બે દિવસીય રાજકીય શોક અંતિમ સંસ્કારના દિવસે પણ શોક રહેશે દેશમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ રહેશે Pope Francis passes away : રોમન કેથોલિક ચર્ચના પ્રથમ લેટિન અમેરિકન પોપ ફ્રાન્સિસનું લાંબી બીમારી બાદ નિધન થઈ ગયું છે....
pope francis passes away   પોપ ફ્રાન્સિસના નિધન પર ભારતમાં ત્રણ દિવસનો રાજકીય શોક જાહેર કરાયો
Advertisement
  • 22 અને 23 એપ્રિલે બે દિવસીય રાજકીય શોક
  • અંતિમ સંસ્કારના દિવસે પણ શોક રહેશે
  • દેશમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ રહેશે

Pope Francis passes away : રોમન કેથોલિક ચર્ચના પ્રથમ લેટિન અમેરિકન પોપ ફ્રાન્સિસનું લાંબી બીમારી બાદ નિધન થઈ ગયું છે. જેમાં પોપ ફ્રાન્સિસના નિધન પર ભારતમાં ત્રણ દિવસનો રાજકીય શોક જાહેર કરાયો છે. 22 અને 23 એપ્રિલે બે દિવસીય રાજકીય શોક ઉપરાંત અંતિમ સંસ્કારના દિવસે પણ રાજકીય શોક રહેશે. રાજકીય શોક દરમિયાન સમગ્ર ભારતમાં તે તમામ ઈમારતો પરરાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ રહેશે, જ્યાં નિયમિત રીતે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવે છે.

Advertisement

પોપ ફ્રાન્સિસના નિધન પર દુનિયાભરના દિગ્ગજોએ દુ:ખ વ્યક્ત કર્યુ

ઉલ્લેખનીય છે કે પોપ ફ્રાન્સિસના નિધન પર દુનિયાભરના દિગ્ગજોએ દુ:ખ વ્યક્ત કર્યુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે. વડાપ્રધાન મોદીએ આ દરમિયાન કહ્યું હતું કે, પોપ ભારતીયોને લઈને ખાસ સ્નેહ રાખતા હતા. આ વચ્ચે પોપના નિધન પર ભારતમાં ત્રણ દિવસનો રાજકીય શોક જાહેર કરાયો છે. રોમન કેથોલિક ચર્ચના વડા પોપ ફ્રાન્સિસ (Pope Francis), જે લાંબા સમયથી બીમાર હતા, તેમનું નિધન થયું છે. સોમવારે વેટિકન ચર્ચ (Vatican Church) દ્વારા જારી કરાયેલા એક વીડિયો નિવેદનમાં આ માહિતી આપવામાં આવી હતી. તેમણે 88 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા.

Advertisement

નિધનથી વિશ્વભરના કેથોલિક સમુદાયમાં શોકનું મોજું ફરી વળ્યું

વેટિકનના પોપ ફ્રાન્સિસનું 88 વર્ષની વયે તેમના નિવાસસ્થાન, કાસા સાન્ટા માર્ટા ખાતે નિધન થયું. વેટિકન દ્વારા જારી કરાયેલા સત્તાવાર નિવેદનમાં આ દુઃખદ સમાચારની પુષ્ટિ કરવામાં આવી હતી. પોપ ફ્રાન્સિસ ફેફસાના ગંભીર ચેપથી પીડાતા હતા, જેના કારણે તેમની કિડની પણ ખરાબ થવાના પ્રારંભિક તબક્કામાં પહોંચી હતી. તેમને તાજેતરમાં રોમની જેમેલી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની સ્થિતિ નાજુક બની ગઈ હતી. આ પહેલાં 2021માં પણ તેમને આ જ હોસ્પિટલમાં 10 દિવસ સુધી સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. તેમના નિધનથી વિશ્વભરના કેથોલિક સમુદાયમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

સાદગી અને માનવતાનું પ્રતીક

પોપ ફ્રાન્સિસ તેમના સાદા જીવન, દયાળુ સ્વભાવ અને ગરીબો તેમજ હાંસિયામાં ધકેલાયેલા લોકો પ્રત્યેની સહાનુભૂતિ માટે વિશ્વભરમાં પ્રખ્યાત હતા. તેમણે પોતાના જીવન દ્વારા સાદગી અને નમ્રતાનું ઉદાહરણ પૂરું પાડ્યું. પોપ તરીકે ચૂંટાયા પછી, તેમણે વૈભવી જીવનને બદલે સાદું જીવન જીવવાનું પસંદ કર્યું. તેઓ ઘણીવાર સામાજિક ન્યાય, પર્યાવરણનું સંરક્ષણ, શરણાર્થીઓના અધિકારો અને ધાર્મિક સહિષ્ણુતા જેવા મહત્વના વૈશ્વિક મુદ્દાઓ પર નીડરતાથી પોતાના વિચારો વ્યક્ત કરતા હતા. તેમના આ વલણથી તેઓ લોકોના હૃદયમાં ખાસ સ્થાન બનાવી શક્યા હતા.

ચર્ચમાં સુધારાના પ્રણેતા

પોપ ફ્રાન્સિસે કેથોલિક ચર્ચમાં પારદર્શિતા અને આધુનિકીકરણ લાવવા માટે અનેક પગલાં ભર્યા. તેમનું માનવું હતું કે ચર્ચે ફક્ત પરંપરાઓને જ નહીં, પરંતુ આધુનિક યુગના પડકારોને પણ સ્વીકારવા જોઈએ. તેમણે ચર્ચની આર્થિક વ્યવસ્થામાં સુધારા, દુર્વ્યવહારના કેસોની તપાસ અને વધુ સમાવેશી અભિગમને પ્રોત્સાહન આપ્યું. આ ઉપરાંત, તેમણે લિંગ સમાનતા, આબોહવા પરિવર્તન અને ગરીબી નાબૂદી જેવા વિષયો પર વૈશ્વિક સ્તરે ચર્ચની ભૂમિકાને મજબૂત કરી. તેમના આ સુધારાઓએ ચર્ચને આધુનિક વિશ્વ સાથે વધુ સુસંગત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી.

આ પણ વાંચો: Summer Hydration Hacks: તમે પાણીને બદલે આ વસ્તુઓથી તમારી તરસ છીપાવી શકો છો, કટોકટીમાં આ બાબતો ધ્યાનમાં રાખો

Tags :
Advertisement

.

×