Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Haryana માં ગરમાયું રાજકારણ,મનોહર લાલ ખટ્ટરે કુમારી શૈલજાને આપી આ ઓફર

હરિયાણામાં તારીખ નજીક આવતા રાજકારણ ગરમાયું હરિયાણામાં ભાજપનો 'મોટો ગેમ પ્લાન તૈયાર મનોહર લાલ ખટ્ટરે કુમારી શૈલજાને આપી આ ઓફર Haryana :હરિયાણા(Haryana)માં વિધાનસભા ચૂંટણી(Haryana Assembly Election 2024)ની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણ ગરમાઈ રહ્યું...
03:43 PM Sep 21, 2024 IST | Hiren Dave
Haryana assembly elections

Haryana :હરિયાણા(Haryana)માં વિધાનસભા ચૂંટણી(Haryana Assembly Election 2024)ની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણ ગરમાઈ રહ્યું છે. હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટરે કહ્યું કે કોંગ્રેસમાં કુમારી શૈલજા(Kumari Selja)નું અપમાન થયું છે અને અમે તેમને અમારી સાથે લેવા તૈયાર છીએ. ભાજપના સિનિયર નેતા મનોહરલાલ ખટ્ટરે કહ્યું કે, કુમારી શૈલજા સાથે દુર્વ્યવહાર થયો અને તેઓ ઘરે બેઠા છે. મનોહર લાલ ખટ્ટરે (Manohar Lal Khatre)આ માટે કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભૂપિન્દર સિંહ હુડ્ડાને જવાબદાર ગણાવ્યા હતા.

 મનોહર ખટ્ટરે  કોંગ્રેસ પર કર્યા પ્રહાર

કોંગ્રેસ પર નિશાન સાધતા મનોહર લાલ ખટ્ટરે કહ્યું કે અપમાન બાદ પણ તેમને શરમ ના આવી. અમે કોંગ્રેસના કેટલાય નેતાઓને અમારી સાથે સામેલ કર્યા છે અને જો શૈલજા તૈયાર હશે તો અમે તેમને ભાજપમાં લઈ જઈશું. મનોહર લાલ ખટ્ટરના નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે અને કુમારી શૈલજાને લઈને વિવિધ પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે.

આ પણ  વાંચો-Air Force : એર માર્શલ અમર પ્રીત સિંહ વાયુસેનાના આગામી વડા

કુમારી શૈલજા પાર્ટીથી નારાજ

ભાજપ કુમારી શૈલજાના કથિત અપમાનને લઈને કોંગ્રેસ પર નિશાન સાધી રહી છે. ભાજપે કહ્યું કે જો કોંગ્રેસ તેના દલિત નેતા કુમારી શૈલજાનું સન્માન નથી જાળવી શકતી તો રાજ્યના બાકીના દલિતોનું શું કરશે? કુમારી શૈલજા પાર્ટીથી નારાજ હોવાનું કહેવાય છે. કુમારી શૈલજાએ હરિયાણાના ચૂંટણી પ્રચારથી પણ અંતર રાખ્યું છે અને સોશિયલ મીડિયા પર સક્રિય નથી. માત્ર ભાજપે જ નહીં પરંતુ બસપાએ પણ કુમારી શૈલજા મુદ્દે કોંગ્રેસ પર પ્રહારો કર્યા છે. માયાવતીના ભત્રીજા આકાશ આનંદે પણ આ મુદ્દે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, હુડ્ડાના સમર્થકોએ શૈલજા વિશે કેટલી ખરાબ વાતો કરી છે. તે એક મોટા દલિત નેતા છે અને અમે તેમનું સન્માન કરીએ છીએ. રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ ક્યારેય દલિતોને સન્માન નહીં આપે અને હંમેશા દલિત વિરોધી રહેશે.

આ પણ  વાંચો-Tirupati Balaji Temple: ‘ક્યારેય બાલાજી મંદિરમાં Ghee સપ્લાય નથી કર્યું’ અમુલે કરી સ્પષ્ટતા

શૈલજાના ગુસ્સાનું કારણ શું?

હરિયાણા કોંગ્રેસમાં આંતરિક કલહની વાતો સામે આવી રહી છે. સૂત્રો પાસેથી આ માહિતી મળી છે. અહેવાલ છે કે કુમારી શૈલજા ટિકિટ વિતરણમાં ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાના જૂથના લોકોને આપવામાં આવેલી પસંદગીથી નારાજ છે અને હજુ સુધી પ્રચાર માટે ગઈ નથી. સૂત્રોનો દાવો છે કે હુડ્ડા સિવાય અન્ય તમામ નેતાઓની ટિકિટ વિતરણમાં અવગણના કરવામાં આવી હતી. શૈલજા પોતે ઉકલાનાથી ચૂંટણી લડવા માંગતી હતી પરંતુ પાર્ટીએ તેમને ટિકિટ આપી ન હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, પાર્ટી શૈલજાના ભત્રીજા હર્ષને ઉકલાનાથી ટિકિટ આપવા તૈયાર હતી પરંતુ શૈલજા તેના માટે રાજી ન હતી. કોંગ્રેસના ઉમેદવારોની યાદીમાં કુમારી શૈલજાના નજીકના ગણાતા 90માંથી માત્ર 7 ઉમેદવારો છે, જેમાં ચાર વર્તમાન ધારાસભ્યો અને 3 નવા ચહેરાઓનો સમાવેશ થાય છે. 90 માંથી, 78 જેટલા ઉમેદવારો હુડ્ડા જૂથના છે, 7 શેલજા છે, 2 સુરજેવાલા છે અને કેટલાક ઉમેદવારો હાઇકમાન્ડ દ્વારા નક્કી કરવામાં આવ્યા છે જેઓ આ નેતાઓમાંથી કોઈની નજીક નથી.

Tags :
BJPCongressCongress LeaderHaryanaHaryana assembly electionsKumari SeljaManohar Lal Khatre
Next Article