Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ED ના અધિકરીઓ વિરુદ્ધ પોલીસે દાખલ કરી FIR, જાણો શું છે સમગ્ર મામલો...

બેંગલુરુ પોલીસે વાલ્મિકી ફંડ ટ્રાન્સફર કૌભાંડની તપાસ કરી રહેલા બે ED અધિકારીઓ સામે FIR નોંધી છે. આ FIR સમાજ કલ્યાણ વિભાગના એડિશનલ ડાયરેક્ટર કલેશની ફરિયાદ પર નોંધવામાં આવી છે. ED અધિકારીઓ પર આરોપ છે કે તેઓ આ કેસમાં CM અને...
ed ના અધિકરીઓ વિરુદ્ધ પોલીસે દાખલ કરી fir  જાણો શું છે સમગ્ર મામલો

બેંગલુરુ પોલીસે વાલ્મિકી ફંડ ટ્રાન્સફર કૌભાંડની તપાસ કરી રહેલા બે ED અધિકારીઓ સામે FIR નોંધી છે. આ FIR સમાજ કલ્યાણ વિભાગના એડિશનલ ડાયરેક્ટર કલેશની ફરિયાદ પર નોંધવામાં આવી છે. ED અધિકારીઓ પર આરોપ છે કે તેઓ આ કેસમાં CM અને અન્યને ફસાવવા માટે તપાસના નામે આ અધિકારી સાથે ડીલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ કેસમાં ED દ્વારા એડિશનલ ડાયરેક્ટરને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. FIR માં બે અધિકારીઓના નામ મિત્તલ અને મુરલી કન્નન છે. વાલ્મિકી ફંડ ટ્રાન્સફર કૌભાંડ પ્રકાશમાં આવ્યા બાદ રાજ્ય સરકારના અનુસૂચિત આદિજાતિ કલ્યાણ મંત્રી બી. નાગેન્દ્રએ પણ રાજીનામું આપી દીધું હતું. કોંગ્રેસના ધારાસભ્ય નાગેન્દ્ર હાલમાં તપાસનો સામનો કરી રહ્યા છે. મહર્ષિ વાલ્મીકિ અનુસૂચિત જનજાતિ વિકાસ નિગમમાં 187 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું હોવાનો આરોપ છે.

Advertisement

શું છે મામલો?

કર્ણાટકમાં 26 મેના રોજ એક સરકારી કર્મચારીએ આત્મહત્યા કરી હતી અને સુસાઈડ નોટમાં કરોડોના કૌભાંડની વાત કરી હતી. આરોપ મુજબ કરોડો રૂપિયા ગેરકાયદેસર રીતે કર્ણાટકમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. મહર્ષિ વાલ્મીકિ અનુસૂચિત જનજાતિ વિકાસ નિગમનો આમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. આ નોટમાં તેણે પોતાના વરિષ્ઠ અધિકારીઓ અને મંત્રીના નામનો ઉલ્લેખ કર્યો હતો, જેમણે તેને ગેરકાયદેસર રીતે પૈસા ટ્રાન્સફર કરવાનું કહ્યું હતું. આ કારણોસર તેમણે રાજીનામું આપવું પડ્યું હતું.

187 કરોડના કૌભાંડનો આરોપ...

સરકારી કર્મચારીની સુસાઈડ નોટ પ્રમાણે કુલ 187 કરોડ રૂપિયા ગેરકાયદેસર રીતે ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. તેમાંથી 88.62 કરોડ રૂપિયા જુદા જુદા ખાતામાં મોકલવામાં આવ્યા હતા. આમાંના કેટલાક ખાતા મોટી આઈટી કંપનીઓ અને હૈદરાબાદની સહકારી બેંકના પણ હતા. સુસાઈડ નોટ અનુસાર, બી નાગેન્દ્રના મંત્રાલય હેઠળના અનુસૂચિત જનજાતિ નિગમના ખાતામાંથી 187 કરોડ રૂપિયા ગેરકાયદેસર રીતે ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. યુનિયન બેંક ઓફ ઈન્ડિયાએ આ મામલે ફરિયાદ કરી હતી. આ પછી CBI એ FIR નોંધી. આ પછી કર્ણાટકના CM સિદ્ધારમૈયા અને કર્ણાટક કોંગ્રેસના પ્રમુખ શિવકુમાર વચ્ચે મુલાકાત થઈ હતી. બંનેએ નાગેન્દ્રને રાજીનામું આપવા કહ્યું હતું. આ સાથે નાગેન્દ્રને વચન આપવામાં આવ્યું હતું કે જો તે નિર્દોષ સાબિત થશે તો તેને ફરીથી આ મંત્રાલય આપવામાં આવશે. ED આ મામલે તપાસ કરી રહી છે.

Advertisement

આ પણ વાંચો : Haryana Crime : નિવૃત્ત સૈનિક બન્યો હેવાન! સગા ભાઈ સહિત 6 લોકોને કુહાડીથી કાપી નાખ્યા...

આ પણ વાંચો : Train Accident : ટ્રેનને 'Derail' કરવાના મોટા ષડયંત્રનો પર્દાફાશ!, પાટા પર મૂકાયા હતા લોખંડના સળિયા...

Advertisement

આ પણ વાંચો : Farmers Protest : ખેડૂતો ફરી કરશે વિરોધ પ્રદર્શન, નવા ફોજદારી કાયદા સામે Delhi કૂચની જાહેરાત

Tags :
Advertisement

.