PM Narendra Modi At Bhutan: PM Modi એ કહ્યું, ભૂતાન દ્વારા ભગવાન બુદ્ધના વારસાને જાળવી રાખવામાં આવ્યો
PM Narendra Modi At Bhutan: આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ ભૂતાન દેશ (Bhutan) ની મુલાકાત લીધી હતી. આ સાથે PM Modi ભૂતાનનું સર્વોચ્ચ નાગરિક સન્માન મેળવનારા પ્રથમ વિદેશી સરકારના પ્રમુખ બન્યા છે. ભૂતાનના રાજા જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુકે પીએમ મોદીને 'Order of the Druk Gyalpo'થી સન્માનિત કર્યા હતા.
- પીએમ મોદીએ Bhutanમાં સંબંધોન આપ્યું
- બંને દેશ વચ્ચે સંબંધો અતૂટ છે
- ભારત એ એવી ભૂમિ છે, જ્યાં બુદ્ધે જ્ઞાન મેળવ્યું
જોકે પીએમ મોદી (PM Modi) ભૂતાન (Bhutan) ના બે દિવસીય પ્રવાસે છે. ત્યારે આજરોજ ભૂતાન (Bhutan) ની રાજધાની થિમ્ફુના તાશિચો ઝોંગ પેલેસ પહોંચ્યા હતા. અહીં તેમનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તેઓ ભૂટાનના રાજા જિગ્મે વાંગચુક (Jigme Khesar Namgyel Wangchuck) ને મળ્યા હતા.
Thank you for the warm welcome to Bhutan, PM @tsheringtobgay. May India-Bhutan friendship keep scaling new heights. https://t.co/0mulIMJht2 pic.twitter.com/JLtHWUqPSi
— Narendra Modi (@narendramodi) March 22, 2024
પીએમ મોદીઓ ભૂતાનમાં સંબંધોન આપ્યું
ભૂટાનના રાજા દ્વારા 'સર્વોચ્ય નાગરિક સન્માન' થી સન્માનિત થયા બાદ પીએમ મોદી (PM Modi) એ કહ્યું, આજે એક ભારતીય નાગરિક તરીકે મારા જીવનની સૌથી મોટી ક્ષણ છે. ભૂતાન (Bhutan) દ્વારા જે રીતે સર્વોચ્ય રાષ્ટ્રીય પુરસ્કારથી મને સન્માન આપવમાં આવ્યું છે. જોકે દરેક પુરસ્કાર પોતાની એક આગવી ઓળખ ધરાવે છે. પરંતુ જ્યારે કોઈ પણ દેશના પુરસ્કારથી સન્માનિત થવાની તક મળે છે,ત્યારે એ પ્રતિત થાય છે કે બંને દેશ વચ્ચેના સંબંધો મજબૂત બની રહ્યા છે.
#WATCH थिम्पू, भूटान: प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा, "आज एक भारतीय के नाते मेरे जीवन का बहुत बड़ा दिन है, आपने मुझे भूटान के सर्वोच्च राष्ट्रीय पुरस्कार से सम्मानित किया है। हर पुरस्कार अपने आप में विशेष होता ही है लेकिन जब किसी अन्य देश से पुरस्कार मिलता है तो यह महसूस होता… https://t.co/Z9QltYZXnt pic.twitter.com/y1J9UOb109
— ANI_HindiNews (@AHindinews) March 22, 2024
બંને દેશ વચ્ચે સંબંધો અતૂટ છે
તે ઉપરાંત કાર્યક્રમને સંબોધતા પીએમ (PM Modi) મોદી એ કહ્યું, "140 કરોડ ભારતીયો જાણે છે કે ભૂતાનના લોકો તેમના જ પરિવારના સભ્યો છે. ભૂતાન (Bhutan) ના લોકો પણ આ વાત જાણે છે અને માને છે કે ભારત તેમનો પરિવાર છે. બંને દેશ વચ્ચે સંબંધ, મિત્રતા, પરસ્પર સહયોગ અને વિશ્વાસ અતૂટ છે. તેથી આજનો દિવસ માટે અમૂલ્ય છે.
ભારત એ એવી ભૂમિ છે જ્યાં બુદ્ધે જ્ઞાન મેળવ્યું
#WATCH थिम्पू, भूटान: प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा, "भारत और भूटान एक साझी विरासत का हिस्सा है। भारत भगवान बुद्ध की भूमि है, उनकी तपोस्थली है। भारत वह भूमि है जहां बुद्ध को बोध प्राप्त हुआ था। भूटान ने भगवान बुद्ध की उन शिक्षाओं को आत्मसात किया, उन्हें संरक्षित किया..." pic.twitter.com/pYo8WftlBu
— ANI_HindiNews (@AHindinews) March 22, 2024
વડાપ્રધાન મોદી (PM Modi) એ વધુમાં કહ્યું કે, "ભારત અને ભૂટાન (Bhutan) એક સમાન વારસો ધરાવે છે. ભારત એ ભગવાન બુદ્ધની ભૂમિ છે અને તેમનું નિવાસસ્થાન છે. ભારત એ એવી ભૂમિ છે જ્યાં બુદ્ધે જ્ઞાન મેળવ્યું હતું. તો બીજી તરફ ભૂતાન (Bhutan) દ્વારા ભગવાન બુદ્ધની શિક્ષાઓના ઉપદેશને આત્મસાત અને જાળવણી કરી.
આ પણ વાંચો: PM Modi Bhutan Visit : પીએમ મોદી બે દિવસીય ભૂટાનના પ્રવાસે, આ મુદ્દાઓ પર થશે ચર્ચા
આ પણ વાંચો: Delhi CM News Update: AAPના પ્રમુખ કેજરીવાલે બનાવી હતી EDના અધિકારીઓની એક અલગ ફાઈલ
આ પણ વાંચો: Arvind Kejriwal : ધરપકડ બાદ અરવિંદ કેજરીવાલનું પહેલું નિવેદન, જાણો શું કહ્યું… Video