Odisha Train Accident અંગે PM મોદીનું મોટું નિવેદન, જાણો શું કહ્યું...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઓડિશાના બાલાસોરમાં ટ્રેન અકસ્માત સ્થળની મુલાકાત લીધી હતી. તેમણે કટકની હોસ્પિટલોમાં ઘાયલ લોકોને પણ મળ્યા હતા. પીએમ મોદીની સાથે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ ઘટનાસ્થળના નિરીક્ષણ દરમિયાન હાજર હતા. કટકની હોસ્પિટલમાં ઘાયલોને મળ્યા બાદ પીએમ મોદીએ કહ્યું કે, આ દુર્ઘટનાના ગુનેગારને છોડવામાં આવશે નહીં. તેને આકરી સજા આપવામાં આવશે.
પીએમ મોદીએ કહ્યું, "આ એક દર્દનાક દુર્ઘટના છે. સરકાર ઘાયલોની સારવાર માટે કોઈ કસર છોડશે નહીં. આ એક ગંભીર ઘટના છે, દરેક એંગલથી તપાસ કરવાની સૂચના આપવામાં આવી છે. જે લોકો દોષિત ઠરશે તેમને સખત સજા થવી જોઈએ". તેમણે વધુમાં જણાવ્યું કે, રેલ્વે ટ્રેક પુનઃસ્થાપિત કરવા માટે કામ કરી રહ્યું છે. હું ઘાયલ પીડિતોને મળ્યો. સરકાર અકસ્માતથી પ્રભાવિત દરેક જરૂરતમાં તમામને મદદ કરશે."
#WATCH | "It's a painful incident. Govt will leave no stone unturned for the treatment of those injured. It's a serious incident, instructions issued for probe from every angle. Those found guilty will be punished stringently. Railway is working towards track restoration. I met… pic.twitter.com/ZhyjxXrYkw
— ANI (@ANI) June 3, 2023
જણાવી દઈએ કે પીએમ મોદી ભુવનેશ્વરથી લગભગ 170 કિમી ઉત્તરમાં બાલાસોર જિલ્લાના બહાનાગા બજાર સ્ટેશન પર ઘટના સ્થળની નજીક એરફોર્સના હેલિકોપ્ટરમાં ઉતર્યા હતા. તેઓ બાલાસોર જિલ્લા હોસ્પિટલમાં અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને મળ્યા હતા. વડા પ્રધાને સ્થળ પરથી કેબિનેટ સચિવ અને આરોગ્ય પ્રધાન સાથે વાત કરી. અધિકારીઓએ કહ્યું કે તેઓએ તેમને ખાતરી કરવા કહ્યું કે ઘાયલો અને તેમના પરિવારોને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવે.
પીએમ મોદીએ એમ પણ કહ્યું કે શોકગ્રસ્ત પરિવારોને અસુવિધાનો સામનો ન કરવો પડે અને અસરગ્રસ્તોને જરૂરી સહાય મળતી રહે તેની ખાસ કાળજી લેવી જોઈએ. આ પહેલા આજે પીએમ મોદીએ ટ્રેન દુર્ઘટનાને લઈને સ્થિતિની સમીક્ષા કરવા માટે બેઠક બોલાવી હતી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 288 લોકોએ જીવ ગુમાવ્યા છે. 900થી વધુ ઘાયલોની સારવાર ચાલી રહી છે.
આ પણ વાંચો : બાલાસોર ટ્રેન દુર્ઘટના પર યુક્રેનના રાષ્ટ્રપતિ Volodymyr Zelenskyy એ શોક વ્યક્ત કર્યો