Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

PM Modi: હજારો કરોડના પ્રોજેક્ટનો શિલાન્યાસ, 553 રેલવે સ્ટેશનોનો થશે પુનઃવિકાસ

PM Modi: વદાપ્રધાનના આજે સોમવારે હસ્તે 41 હજાર કરોડના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી રેલવેના 41 હજાર કરોડના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કર્યું છે. 41 હજાર કરોડથી વધુ ખર્ચે આશરે 2000 રેલ્વે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને...
03:21 PM Feb 26, 2024 IST | VIMAL PRAJAPATI
PM Modi The foundation stone of projects

PM Modi: વદાપ્રધાનના આજે સોમવારે હસ્તે 41 હજાર કરોડના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી રેલવેના 41 હજાર કરોડના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કર્યું છે. 41 હજાર કરોડથી વધુ ખર્ચે આશરે 2000 રેલ્વે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યું છે. આની સાથે સાથે વડાપ્રધાને આ દરમિયાન અનેક પરિયોજનાઓ દેશના લોકોને સમર્પિત કરી હતીં. મોદીએ વીડિયો-કોન્ફરન્સના માધ્યમથી ‘પ્રધાનમંત્રી અમૃત ભારત સ્ટેશન યોજના’ હેઠળ 553 રેલવે સ્ટેશનોના પુનઃવિકાસ માટે શિલાન્યાસ કર્યો છે. ભારતના 27 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આવેલા રેલ્વે સ્ટેશનોનો 19 હજાર કરોડના ખર્ચે નવીનિકરણ કરવામાં આવશે,

દેશના વિકાસ માટે 41 હજાર કરોડના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત

પીએમઓ દ્વારા આપવામાં આવેલી વિગતો પ્રમાણે વાત કરવામાં આવે તો આ સ્ટેશનો શહેરની બે બાજુઓને એકસાથે જોડવા માટે 'સિટી સેન્ટર' તરીકે કાર્ય કરશે. આ સ્ટેશનો પર સુંદર લેન્ડસ્કેપ, ઇન્ટર મોડલ કનેક્ટિવિટી, ચિલ્ડ્રન પ્લે એરિયા, કિઓસ્ક, ફૂડ કોર્ટ સહિતની આધુનિક પેસેન્જર સુવિધાઓ ઉપલબ્ધ હશે.વધુ વિગતે વાત કરવામાં આવે તો આ સ્ટેશન ઇમારતોની ડિઝાઇન સ્થાનિક સંસ્કૃતિ, વારસો અને સ્થાપત્યથી પ્રેરિત હશે. પ્રધાનમંત્રીએ ઉત્તર પ્રદેશમાં ગોમતી નગર સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું. અંદાજે રૂ. 385 કરોડના કુલ ખર્ચે તેનું પુનઃવિકાસ કરવામાં આવ્યું છે.

ઓવરબ્રિજ અને અંડરપાસનો પણ શિલાન્યાસ કર્યો

આ સાથે સાથે પ્રધાનમંત્રીએ 1500 રોડ ઓવરબ્રિજ અને અંડરપાસનો પણ શિલાન્યાસ કર્યો છે. તેમાંથી ઘણી તો યોજનાઓનું ઉદ્ઘાટન કરીને લોકો માટે ખુલ્લો મુકી દેવામાં આવ્યો છે. આ રોડ ઓવરબ્રિજ અને અંડરપાસ 24 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આવેલા છે. આ પ્રોજેક્ટ્સ અંદાજે રૂ. 21,520 કરોડના ખર્ચે બાંધવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટ્સ ભીડમાં ઘટાડો કરશે, સલામતી અને કનેક્ટિવિટી વધારશે અને રેલ મુસાફરીની ક્ષમતા અને કાર્યક્ષમતામાં સુધારો કરશે.

આ પણ વાંચો: Bharat Tax 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું ‘ભારત ટેક્સ 2024’નું ઉદ્ઘાટન

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Narendra ModiNarendra Modi giftnational newspm modipm modi newsVimal Prajapati
Next Article