UAE : અબુધાબીના BAPS મંદિરના ઉદ્ઘાટન માટે PM MODI ને અપાયું આમંત્રણ
અબુધાબીના BAPS મંદિરના ઉદ્ઘાટન માટે PM MODI ને અપાયું આમંત્રણ
સૌથી પહેલા વડાપ્રધાનને અપાયું આમંત્રણ
કાર્ડ ઉપર લખાયું, પ્રમુખ સ્વામીના પ્રિય પુત્ર મોદી સાહેબ
સાધુ કેશવજીવનદાસે આપ્યું આમંત્રણ
અબુધાબીમાં નિર્માણ કરાયેલા BAPS સ્વામિનારાયણ મંદિરના ઉદ્ઘાટન માટે બાપ્સ મંદિર દ્વારા સૌથી પહેલું આમંત્રણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપવામાં આવ્યું છે.
પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિરનું નિર્માણ
અબુ ધાબીમાં પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિરનું નિર્માણ કરાયું છે. UAE કેપિટલમાં આઇકોનિક BAPS હિંદુ મંદિરનું બાંધકામ ડિસેમ્બર 2019 માં શરૂ થયું હતું અને હવે પૂર્ણતાને આરે છે અને આગામી ફેબ્રુઆરી, 2024માં તેનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવશે.
પ્રમુખ સ્વામીના પ્રિય પુત્ર મોદી સાહેબ...
મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે પધારવા માટે BAPS મંદિરના સાધુ કેશજીવનદાસ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સૌથી પહેલું આમંત્રણ આપવામાં આવ્યું છે. આમંત્રણ કાર્ડમાં લખાયું છે કે પ્રમુખ સ્વામીના પ્રિય પુત્ર મોદી સાહેબ...
આ પણ વાંચો----AYODHYA: જાણો.. અયોધ્યામાં બની રહેલ એરપોર્ટ વિશે ખાસ બાબતો