Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PM મોદીએ Ratan Tata ના નિધન પર શોક વ્યક્ત કર્યું, સન્માનમાં કહી આ મોટી વાત

દેશના જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટા નિધન મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ રતન ટાટાએ 86 વર્ષની વયે આ દુનિયાને અલવિદા કહ્યું દેશના જાણીતા ઉદ્યોગપતિ અને ટાટા સન્સના માનદ અધ્યક્ષ રતન ટાટા (Ratan Tata) હવે નથી રહ્યા. બુધવારે 9...
pm મોદીએ ratan tata ના નિધન પર શોક વ્યક્ત કર્યું  સન્માનમાં કહી આ મોટી વાત
  1. દેશના જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટા નિધન
  2. મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
  3. રતન ટાટાએ 86 વર્ષની વયે આ દુનિયાને અલવિદા કહ્યું

દેશના જાણીતા ઉદ્યોગપતિ અને ટાટા સન્સના માનદ અધ્યક્ષ રતન ટાટા (Ratan Tata) હવે નથી રહ્યા. બુધવારે 9 ઓક્ટોબરે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં તેમનું અવસાન થયું હતું. રતન ટાટા (Ratan Tata)એ 86 વર્ષની વયે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. રતન ટાટા (Ratan Tata)ને ઉંમર સંબંધિત સમસ્યાઓના કારણે થોડા દિવસો પહેલા મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રતન ટાટા (Ratan Tata)ના નિધન પર દેશની તમામ હસ્તીઓ અને લોકો તરફથી શોક વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં ભારતના PM નરેન્દ્ર મોદીએ પણ રતન ટાટાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

Advertisement

શું કહ્યું PM મોદીએ?

PM નરેન્દ્ર મોદીએ X પર પોસ્ટ કર્યું, 'શ્રી રતન ટાટાજી એક સ્વપ્નદ્રષ્ટા બિઝનેસ લીડર, એક દયાળુ આત્મા અને અસાધારણ માનવી હતા. તેમણે ભારતના સૌથી જૂના અને સૌથી પ્રતિષ્ઠિત બિઝનેસ હાઉસમાંના એકને સ્થિર નેતૃત્વ પૂરું પાડ્યું. વધુમાં, તેમનું યોગદાન બોર્ડરૂમથી ઘણું આગળ હતું. તેમણે તેમની નમ્રતા, દયા અને આપણા સમાજને બહેતર બનાવવાની અતૂટ પ્રતિબદ્ધતાને કારણે ઘણા લોકોમાં પોતાની ઓળખ બનાવી.'

Advertisement

આ પણ વાંચો : Ratan Tata ની અમેરિકામાં રહેતી પ્રેમિકાના નામ સાથે પ્રેમ ગાથા વિશે જાણો

મને અસંખ્ય સભાઓ યાદ છે - PM મોદી

PM મોદીએ કહ્યું, 'શ્રી રતન ટાટાજીનું સૌથી અનોખું પાસું એ હતું કે તેઓ મોટા સપના જોવા અને બીજાને કંઈક આપવાનો જુસ્સો ધરાવે છે. તેઓ શિક્ષણ, આરોગ્ય સંભાળ, સ્વચ્છતા, પશુ કલ્યાણ જેવા મુદ્દાઓને આગળ ધપાવવામાં મોખરે હતા. મને શ્રી રતન ટાટાજી સાથેની મારી અસંખ્ય મુલાકાતો યાદ છે. હું જ્યારે ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે હું તેમને અવારનવાર મળતો હતો. અમે વિવિધ મુદ્દાઓ પર વિચારોની આપ-લે કરતા હતા. મને તેમના વિચારો ખૂબ જ ઉપયોગી લાગ્યા. દિલ્હી આવ્યા પછી પણ આ બેઠકો ચાલુ રહી. તેમના નિધનથી હું ખૂબ જ દુઃખી છું. દુઃખની આ ઘડીમાં તેમના પરિવાર, મિત્રો અને ચાહકો પ્રત્યે મારી સંવેદના. ઓમ શાંતિ.'

Advertisement

આ પણ વાંચો : Ratan Tata એ જીવનના અંતિમ દિવસોમાં આ શોખ અપનાવ્યા હતાં, જાણો...

Tags :
Advertisement

.