મહારાષ્ટ્રના પાલઘરમાં ઉપરા ઉપરી ભૂકંપના 2 આંચકાથી લોકોમાં ગભરાટ
મહારાષ્ટ્રના પાલઘરમાં ગણતરીની મિનીટોમાં ભૂકંપના 2 આંચકા અનુભવાતા લોકોમાં ગભરાટ વ્યાપી ગયો હતો. ભૂકંપના 2 આંચકા પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાત મહારાષ્ટ્રની બોર્ડર પર પાલઘર વિસ્તારમાં શનિવારે સાંજે ભૂકંપના 2 આંચકા અનુભવાયા હતા. સીસ્મોલોજી વિભાગ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ પાલઘરમાં શનિવારે...
07:38 PM May 27, 2023 IST
|
Vipul Pandya
મહારાષ્ટ્રના પાલઘરમાં ગણતરીની મિનીટોમાં ભૂકંપના 2 આંચકા અનુભવાતા લોકોમાં ગભરાટ વ્યાપી ગયો હતો.
ભૂકંપના 2 આંચકા
પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાત મહારાષ્ટ્રની બોર્ડર પર પાલઘર વિસ્તારમાં શનિવારે સાંજે ભૂકંપના 2 આંચકા અનુભવાયા હતા. સીસ્મોલોજી વિભાગ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ પાલઘરમાં શનિવારે સાંજે 5.15 વાગે 3.5ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો અને તેની ગણતરીની મિનીટોમાં સાંજે 5.28 વાગે 3.3ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
લોકોમાં ગભરાટ
ઉપરા ઉપરી બે ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો અને લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપનો આંચકો ગુજરાત મહારાષ્ટ્રની બોર્ડરને અડીને આવેલા વિસ્તારોમાં પણ અનુભવાયો હતો. જો કે કોઇ જાનહાનિના અત્યાર સુધી કોઇ સમાચાર મળ્યા નથી.
Next Article