Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Delhi : Fire Extinguisher નહીં, કોઈ ઇમરજન્સી ગેટ નહીં, ગેરકાયદેસર રીતે ચાલતી હતી બેબી કેર હોસ્પિટલ!

રાજધાની દિલ્હી (Delhi)ની વિવેક વિહાર બેબી કેર હોસ્પિટલમાં આગની ઘટનામાં પોલીસે મોટો ખુલાસો કર્યો છે. આ હોસ્પિટલ ગેરકાયદે ચાલતી હતી. તપાસમાં જાણવા મળ્યું કે આ હોસ્પિટલનું લાયસન્સ 31 માર્ચે સમાપ્ત થઈ ગયું હતું. આગ જેવા અકસ્માતનો સામનો કરવા માટે હોસ્પિટલમાં...
delhi   fire extinguisher નહીં  કોઈ ઇમરજન્સી ગેટ નહીં  ગેરકાયદેસર રીતે ચાલતી હતી બેબી કેર હોસ્પિટલ

રાજધાની દિલ્હી (Delhi)ની વિવેક વિહાર બેબી કેર હોસ્પિટલમાં આગની ઘટનામાં પોલીસે મોટો ખુલાસો કર્યો છે. આ હોસ્પિટલ ગેરકાયદે ચાલતી હતી. તપાસમાં જાણવા મળ્યું કે આ હોસ્પિટલનું લાયસન્સ 31 માર્ચે સમાપ્ત થઈ ગયું હતું. આગ જેવા અકસ્માતનો સામનો કરવા માટે હોસ્પિટલમાં ન તો Fire Extinguisher કે ન તો કોઈ ઈમરજન્સી ગેટ જોવા મળ્યો હતો.

Advertisement

ડોકટરો પાસે BAMS ની ડીગ્રી છે...

તપાસમાં જાણવા મળ્યું કે આ હોસ્પિટલમાં માત્ર 5 બેડની ક્ષમતા હતી જ્યારે 10 બેડ લગાવવામાં આવ્યા હતા. પોલીસે FIR માં બે કલમ 304 અને 308 ઉમેરી છે. બેબી કેર હોસ્પિટલના ડાયરેક્ટર નવીન અને એક ડોક્ટર આકાશની પોલીસે ધરપકડ કરી છે. તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે નવજાત શિશુઓની સારવાર કરતા ડોકટરો લાયક અને સક્ષમ ન હતા. કારણ કે આ ડોકટરો પાસે BAMS ની ડીગ્રી હતી.

Advertisement

'બેબી કેર ન્યૂ બોર્ન ચાઈલ્ડ હોસ્પિટલ'ની 4 શાખાઓ...

'બેબી કેર ન્યૂ બોર્ન ચાઈલ્ડ હોસ્પિટલ'ની 4 શાખાઓ છે 1.વિવેક વિહાર, દિલ્હી (Delhi), 2.પંજાબી બાગ, દિલ્હી (Delhi), 3.ફરીદાબાદ અને 4.ગુડગાંવ. હોસ્પિટલના માલિક ડો. નવીન ખીચી, ઉમેદ સિંહ ખીચીના પુત્ર, રહેવાસી 258, ભેરા એન્ક્લેવ, પશ્ચિમ વિહાર, દિલ્હી (Delhi) છે. ડૉ.નવીન ખીચી બાળરોગમાં એમડી છે. તે અને તેમની પત્ની ડૉ. જાગૃતિ (દંત ચિકિત્સક) તે હોસ્પિટલ ચલાવે છે. આગ લાગવાનું સંભવિત કારણ શોર્ટ સર્કિટ હોવાનું કહેવાય છે.

મેજિસ્ટ્રેટ તપાસનો આદેશ...

દિલ્હી (Delhi) સરકારે મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા છે. ડિવિઝનલ કમિશનર અશ્વિની કુમારે શાહદરા જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટને શનિવારે રાત્રે બનેલી ઘટનાની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો હતો. આદેશમાં કહેવામાં આવ્યું છે કે, “જિલ્લા મેજિસ્ટ્રેટ (શાહદરા) અને જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અધ્યક્ષને આગની ઘટનાની તપાસ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે તપાસનો રિપોર્ટ વહેલી તકે રજૂ કરવામાં આવે. શનિવારે લાગેલી આગમાં સાત બાળકોના મોત થયા હતા.

Advertisement

આ પણ વાંચો : Cyclone Remal : ચક્રવાત Remal ના કારણે કોલકાતામાં ભારે વરસાદ શરૂ, ટ્રેનો અને ફ્લાઇટ્સ રદ…

આ પણ વાંચો : Delhi : બોર્ન બેબી કેર સેન્ટરના માલિકની ધરપકડ, હોસ્પિટલમાં આગ લાગવાથી સાત નવજાતના મોત…

આ પણ વાંચો : Swati Maliwal નો ગંભીર આરોપ, કહ્યું- ‘મને બળાત્કાર અને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે…’

Tags :
Advertisement

.