Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Nepal Earthquake: નેપાળમાં ભૂકંપથી અનેક મકાનો તબાહ, અત્યાર સુધીમાં 128થી વધુ લોકોના મોત

અહેવાલ - રવિ પટેલ, અમદાવાદ પશ્ચિમ નેપાળમાં આવેલા પ્રચંડ ભૂકંપને કારણે અત્યાર સુધીમાં 128 લોકોના મોત થયા છે અને કેટલાક લોકો ઘાયલ થયા છે.ભૂકંપના કારણે અનેક મકાનો ધરાશાયી થયા છે.ત્યાંના સત્તાધીશોએ પુષ્ટિ કરી છે કે રૂકુમ પશ્ચિમમાં 70 લોકોના મોત...
nepal earthquake  નેપાળમાં ભૂકંપથી અનેક મકાનો તબાહ  અત્યાર સુધીમાં 128થી વધુ લોકોના મોત

અહેવાલ - રવિ પટેલ, અમદાવાદ

Advertisement

પશ્ચિમ નેપાળમાં આવેલા પ્રચંડ ભૂકંપને કારણે અત્યાર સુધીમાં 128 લોકોના મોત થયા છે અને કેટલાક લોકો ઘાયલ થયા છે.ભૂકંપના કારણે અનેક મકાનો ધરાશાયી થયા છે.ત્યાંના સત્તાધીશોએ પુષ્ટિ કરી છે કે રૂકુમ પશ્ચિમમાં 70 લોકોના મોત થયા છે,જ્યારે જાજરકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં 50 લોકોના મોત થયા છે.ભૂકંપ બાદ બચાવ દળ બચાવ કામગીરીમાં લાગેલું છે.તમને જણાવી દઈએ કે,શુક્રવારે રાત્રે લગભગ 11.30 વાગ્યે નેપાળના પશ્ચિમ વિસ્તારમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા.રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.4 માપવામાં આવી છે.

40 સેકન્ડ સુધી લાગ્યા ઝટકા

Advertisement

નેપાળના અધિકારીઓના જણાવ્યા અનુસાર,ભૂકંપ રાત્રે 11.47 વાગ્યે આવ્યો હતો, તેનું કેન્દ્ર જાજરકોટમાં ભૂગર્ભમાં 10 કિલોમીટરની ઊંડાઈમાં હતું.ભૂકંપની અસર ભારત અને ચીનમાં પણ જોવા મળી હતી.ભારતમાં પણ લગભગ 40 સેકન્ડ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

કાઠમંડુમાં લોકો રસ્તાઓ પર ડરેલા જોવા મળ્યા

Advertisement

તે જ સમયે, નેપાળની રાજધાની કાઠમંડુ અને તેની આસપાસના વિસ્તારોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા.જાજરકોટ કાઠમંડુથી પશ્ચિમમાં લગભગ 500 કિલોમીટર દૂર છે.ભૂકંપના આંચકા અનુભવાતા જ કાઠમંડુમાં લોકો ઘરની બહાર આવી ગયા હતા.આ દરમિયાન લોકો રસ્તા પર ડરી ગયેલા જોવા મળ્યા હતા.

વડાપ્રધાન પ્રચંડે જાન-માલના નુકશાન પર શોક વ્યક્ત કર્યો હતો

નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડે ભૂકંપના કારણે જાનમાલના નુકશાન પર શોક વ્યક્ત કર્યો છે.નેપાળના પીએમઓએ ટ્વીટ કર્યું,વડાપ્રધાન પુષ્પ કમલ દહલે શુક્રવારે રાત્રે 11.47 કલાકે જાજરકોટના રામીદાંડામાં આવેલા ભૂકંપના કારણે જાનહાનિ અને મકાનોના નુકસાન પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે.ઘાયલોને તાત્કાલિક બચાવ અને રાહત માટે ત્રણેય સુરક્ષા એજન્સીઓને તૈનાત કરવામાં આવી છે.

2015માં 7.8ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો

તમને જણાવી દઈએ કે,નેપાળમાં ભૂકંપ સામાન્ય છે.2015 માં,7.8 તીવ્રતાના શક્તિશાળી ભૂકંપે સમગ્ર દેશને હચમચાવી નાખ્યો હતો, જેમાં 15,000થી વધુ લોકો માર્યા ગયા હતા અને હજારો મકાનો નાશ પામ્યા હતા.

આ પણ વાંચો - Delhi : ‘તમે ઇચ્છો છો કે લોકો ગેસ ચેમ્બરમાં રહે’, દિલ્હી હાઈકોર્ટ શું વાત પર ગુસ્સે થઈ… સાચું લાગે છે ?

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.