Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

"નેહરુ મેમોરિયલ મ્યુઝિયમનું નામ બદલી પીએમ મ્યુઝિયમ કરાયું"

દેશની રાજધાની દિલ્હીમાં સ્થિત નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ અને લાઇબ્રેરીને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ અને લાઇબ્રેરીનું નામ બદલી દેવામાં આવ્યું છે. હવે તે પ્રાઇમ મિનિસ્ટર મ્યુઝિયમ અને લાઇબ્રેરી તરીકે ઓળખાશે. રક્ષા...
01:50 PM Jun 16, 2023 IST | Dhruv Parmar

દેશની રાજધાની દિલ્હીમાં સ્થિત નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ અને લાઇબ્રેરીને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ અને લાઇબ્રેરીનું નામ બદલી દેવામાં આવ્યું છે. હવે તે પ્રાઇમ મિનિસ્ટર મ્યુઝિયમ અને લાઇબ્રેરી તરીકે ઓળખાશે.

રક્ષા મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઈબ્રેરી સોસાયટીની ખાસ બેઠકમાં તેનું નામ બદલીને વડાપ્રધાન મ્યુઝિયમ એન્ડ લાઈબ્રેરી સોસાયટી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

નહેરુ મેમોરિયલનું નામ બદલવાને લઈને કોંગ્રેસે મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું કે મોદી સંકુચિત માનસિકતા અને બદલો લેવાનું બીજું નામ છે. 59 થી વધુ વર્ષોથી નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ અને લાઇબ્રેરી વૈશ્વિક બૌદ્ધિક સીમાચિહ્ન અને પુસ્તકો અને રેકોર્ડ્સનું ખજાનાનું ઘર છે.

2016માં આ મ્યુઝિયમ માટે મંજૂરી મળી હતી

હકીકતમાં, 2016 માં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ મૂર્તિ સંકુલમાં ભારતના તમામ વડાપ્રધાનોને સમર્પિત મ્યુઝિયમ સ્થાપિત કરવાનો વિચાર રજૂ કર્યો હતો. NMMLની કારોબારી પરિષદ દ્વારા 25 નવેમ્બર 2016ના રોજ તેની 162મી બેઠકમાં આને મંજૂરી આપવામાં આવી હતી. હવે આ પ્રોજેક્ટ પૂર્ણ થયો છે અને વડાપ્રધાનનું મ્યુઝિયમ 21 એપ્રિલ 2022ના રોજ લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : કો-ઓપરેટીવ બેંક ઓફ ઈન્ડિયાના ચેરમેનપદે અજયભાઈ પટેલ બિનહરીફ ચુંટાયા

Tags :
BJPCongressIndiaNarendra ModiNationalNehru MemorialNehru Memorial Museumnehru memorial museum and library areanehru memorial museum and library cataloguePMpm modi
Next Article