Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

NEET-UG 2024 : SC ના નિર્ણય બાદ શિક્ષણ મંત્રીની પ્રથમ પ્રતિક્રિયા, રાહુલ ગાંધી પર કર્યા પ્રહાર...

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને NEET-UG કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય પર પહેલી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે સત્યમેવ જયતે, સત્યની જીત થઈ છે. કેન્દ્ર સરકાર કહી રહી છે કે પેપર મોટા પાયે લીક થયું નથી. હવે સુપ્રીમ કોર્ટે (SC)...
neet ug 2024   sc ના નિર્ણય બાદ શિક્ષણ મંત્રીની પ્રથમ પ્રતિક્રિયા  રાહુલ ગાંધી પર કર્યા પ્રહાર
Advertisement

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને NEET-UG કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય પર પહેલી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે સત્યમેવ જયતે, સત્યની જીત થઈ છે. કેન્દ્ર સરકાર કહી રહી છે કે પેપર મોટા પાયે લીક થયું નથી. હવે સુપ્રીમ કોર્ટે (SC) આ વાતને યોગ્ય ઠેરવી છે. ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) બે દિવસમાં NEET-UG ના અંતિમ પરિણામો જાહેર કરશે.

રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓની માફી માંગવી જોઈએ : ધર્મેન્દ્ર પ્રધાન

શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાહુલ ગાંધી પાસે માફી માંગવાની માંગ કરી છે. તેમણે કહ્યું, હું તેમને અને વિપક્ષના તમામ લોકોને અપીલ કરું છું કે જે લોકો આવા બેજવાબદાર કૃત્યોમાં સામેલ હતા તેમણે દેશના વિદ્યાર્થીઓ, યુવાનો અને માતા-પિતાની માફી માંગવી જોઈએ. તમે દેશને નુકસાન પહોંચાડ્યું છે, દેશમાં અરાજકતા ફેલાવવાનો પ્રયાસ કર્યો છે, દેશમાં નાગરિક અશાંતિ ફેલાવવાનું કાવતરું કર્યું છે. દેશ તમને માફ નહીં કરે. રાજકીય હરીફાઈ અલગ-અલગ હોઈ શકે, પરંતુ વિદ્યાર્થીઓ દરેકના છે.

Advertisement

Advertisement

સુપ્રીમ કોર્ટે શું કહ્યું?

મંગળવારે સુપ્રીમ કોર્ટમાં NEET-UG કેસ પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે (SC) પોતાના આદેશમાં સ્પષ્ટ કહ્યું છે કે પરીક્ષા ફરીથી લેવામાં આવશે નહીં. સુપ્રીમ કોર્ટે (SC) કહ્યું કે પ્રસ્તુત સામગ્રી અને ડેટાના આધારે પ્રશ્નપત્ર વ્યવસ્થિત રીતે લીક થયાના કોઈ પુરાવા નથી. પરીક્ષા પુનઃ આયોજિત કરવી વ્યાજબી નથી. આ પછી સુપ્રીમ કોર્ટે (SC) ફરીથી પરીક્ષા લેવાનો ઇનકાર કરી દીધો હતો.

આ પણ વાંચો : Accident : ગાયને બચાવવા જતા બે બસો વચ્ચે થયો અકસ્માત, બે લોકોના મોત, 8 થી વધુ ઘાયલ...

આ પણ વાંચો : Budget થી ખુશ નથી રાકેશ ટિકૈત, કહ્યું- આ ફક્ત કાગળ પર, ખેડૂતોને કોઈ ફાયદો નહીં...

આ પણ વાંચો : 'Andhra Pradesh માં ખુશીની લહેર, PM મોદીનો આભાર...', જાણો ચંદ્રબાબુ નાયડુએ શું કહ્યું...

Tags :
Advertisement

.

×