Narmada River: નર્મદા ડેમની જળસપાટી સિઝનમાં પહેલીવાર 135.61 મીટર પર પહોંચી
- સરદાર સરોવર ડેમની જળસપાટી વધી
- ઉપરવાસ વરસાદના લીધે ડેમમાં નવા નીરની આવક
- નર્મદા ડેમની જળસપાટી પહેલીવાર 135.61 મીટર પર પહોંચી
Narmada River: ગુજરાતના જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ(Narmada river)ની સપાટીમાં આજે પણ વધારો નોંધાયો છે. હાલ સરદાર સરોવર ડેમની સપાટી આ સિઝનમાં પહેલીવાર 135.61 મીટર પર પહોંચી છે. નર્મદા નદીમાં ઉપરવાસમાંથી 2,73900 ક્યુસેક પાણીની આવક થઇ છે. નર્મદા ડેમમાં 3828.60 મિલિયન ક્યુબિક મીટર લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે. હાલ નર્મદા ડેમ 88 ટકા ભરાયો છે. હવે સરદાર સરોવર ડેમ તેની મહત્તમ સપાટી 138.68 મીટરથી માત્ર ત્રણ મીટર જેટલો જ દૂર છે. હાલ નર્મદા ડેમના નવ દરવાજા ખોલવામાં આવ્યા છે. તો બીજી બાજુ આ દરવાજા ખોલાતા આસપાસના તાલુકાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો
ઉપરવાસમાંથી પાણીની આવક નોંધાતા સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો નોંધાયો છે. નર્મદા ડેમની જળ સપાટી આ ચોમાસામાં પ્રથમવાર 135.61 મીટર પર પહોંચી ગઇ છે. મળતી માહિતી પ્રમાણે, ઉપરવાસમાંથી 2,73900 ક્યુસેક પાણીની આવક થઇ છે. નર્મદા ડેમમાં 3828.60 મિલિયન ક્યુબિક મીટર લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે.
Sardar Sarovar Dam : નર્મદા ડેમનો અદભુત નજારો | Gujarat First#SardarSarovarDam #NarmadaRiver #WaterLevelRise #NarmadaBasin #DamSafety #EnvironmentalImpact #RiverConservation #WaterResources #SustainableDevelopment #HydropowerChallenges #Gfcard #Gujaratfirst pic.twitter.com/SfvaB6OvIi
— Gujarat First (@GujaratFirst) August 12, 2024
25 ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યાં
હાલ નર્મદા ડેમ 88 ટકા ભરાયો છે. નર્મદા ડેમ મહત્તમ સપાટી થી માત્ર ત્રણ મીટર જ દૂર છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. હાલ પણ નર્મદા ડેમના 9 દરવાજા ખુલ્લા છે. ડેમ દરવાજામાંથી 1,51976 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. નર્મદા નદીમાં પાણી છોડવામાં આવતા શિનોર, ડભોઈ અને કરજણ તાલુકાના 25 ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યાં છે. જ્યારે આ ગામડાઓના તલાટી અને તાલુકના પ્રાંત અધિકારીને નીચાણવાળા વિસ્તારોમાં કોઈ પ્રકારની દુર્ઘટના ન બને તે માટે સાવચેતી રાખવાની સાથે યોગ્ય પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. આ સાથે 25 ગામડાઓના લોકોને નદીના પટમાં ન જવા અપીલ કરવામાં આવી છે.
પ્રાંત અધિકારીઓએ સાવચેતી વિવિધ સૂચના આપી
નર્મદા નદીમાં પાણી છોડવામાં આવતાની સાથે નદી કિનારા શિનોર તાલુકાના અંબાલી, બરકાલ, દિવેર, માલસર, કંજેઠા, માંડવા, દરિયાપૂરા, મોથેલા, ઝાંઝડ, સુરાશામળ, ડભોઈ તાલુકાના નંદેરિયા, ચાંદોદ, કરનાળી અને કરજણ તાલુકાના સોમજ, દેલવાડા, અરજપુરા, પુરા, આલમપુરા, નાની કોરલ, મોટી કોરલ, રાજલી, લીલાઈપુરા, જૂના સાયર, ઓઝ, સાગરોલ સહિત 25 ગામડાઓને સાવચેતી રાખવાની સાથે સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.