Narmada River flood : નર્મદા નદીમાં આવેલા પૂર અંગે SSNL ના ડિરેક્ટરે કર્યા અનેક ખુલાસા, જાણો શું કહ્યું...Video
નર્મદા નદીમાં આવેલું પૂર માનવસર્જિત આપદા હોવાના આરોપો વચ્ચે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના ડિરેક્ટરે ખુલાસા કર્યાં છે. તેમણે આવા આરોપોને તદ્દન ખોટા ગણાવીને પરિસ્થિતિનું ચિત્ર રજૂ કર્યું. આ પૂર્વે કોંગ્રેસ નેતા જયનારાયણ વ્યાસે પ્રેસ કૉન્ફરન્સ યોજી સવાલો ઉઠાવ્યાં હતાં....
06:16 PM Sep 22, 2023 IST
|
Dhruv Parmar
નર્મદા નદીમાં આવેલું પૂર માનવસર્જિત આપદા હોવાના આરોપો વચ્ચે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના ડિરેક્ટરે ખુલાસા કર્યાં છે. તેમણે આવા આરોપોને તદ્દન ખોટા ગણાવીને પરિસ્થિતિનું ચિત્ર રજૂ કર્યું. આ પૂર્વે કોંગ્રેસ નેતા જયનારાયણ વ્યાસે પ્રેસ કૉન્ફરન્સ યોજી સવાલો ઉઠાવ્યાં હતાં. તેમણે કથિત વાદળ ફાટવાની ઘટના અંગે સવાલો ઉઠાવ્યાં છે. સાથે જ તેમણે સરદાર સરોવર ડેમનું પાયાનું કામ પૂર નિયંત્રકનું હોવાનું જણાવીને તંત્રની બેદરકારી કારણે નુકસાન થયું હોવાનું જણાવ્યું. જવાબમાં નિગમના ડાયરેક્ટરે કહ્યું તેમણે રુલ લેવલ જાળવવાનો પૂરતો પ્રયાસ કર્યો હતો અને પૂર નિયંત્રણનો પણ પૂરતો પ્રયાસ કર્યો જ હતો.
આ પણ વાંચો : ટીકાકારોને નર્મદા નિગમનો જવાબ, ક્યારે-કેમ પાણીનો સંગ્રહ કર્યો, કેમ છોડવું પડ્યું તેનું વર્ણન કર્યુ
Next Article