Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Mumbai:'માતા વિના અધૂરુ લાગી રહ્યુ...'દેશના મોટા ઉદ્યોગપતિ પર તૂટયો દુઃખનો પહાડ

વેદાંતા ગ્રુપના ચેરમેનની માતાનું નિધન હું મારી માતા વિના અધૂરો અનુભવ કરી રહ્યો છું અનિલ અગ્રવાલે સોશિયલ મીડિયા પોસ્ટ કરી Mumbai:વેદાંતા ગ્રુપના ચેરમેન (Vedanta chairman)અને અબજોપતિ ઉદ્યોગપતિ અનિલ અગ્રવાલની માતાનું(Agarwal mother) નિધન થયું છે. માતાના નિધન બાદ અનિલ અગ્રવાલે...
mumbai  માતા વિના અધૂરુ લાગી રહ્યુ    દેશના મોટા ઉદ્યોગપતિ પર તૂટયો દુઃખનો પહાડ
  • વેદાંતા ગ્રુપના ચેરમેનની માતાનું નિધન
  • હું મારી માતા વિના અધૂરો અનુભવ કરી રહ્યો છું
  • અનિલ અગ્રવાલે સોશિયલ મીડિયા પોસ્ટ કરી

Mumbai:વેદાંતા ગ્રુપના ચેરમેન (Vedanta chairman)અને અબજોપતિ ઉદ્યોગપતિ અનિલ અગ્રવાલની માતાનું(Agarwal mother) નિધન થયું છે. માતાના નિધન બાદ અનિલ અગ્રવાલે પોતે સોશિયલ મીડિયા પર આ દુઃખદ સમાચારની જાણકારી આપી હતી. ઉદ્યોગપતિ અનિલ અગ્રવાલ હંમેશા તેમની સફળતાનો શ્રેય તેમના માતા-પિતાને આપે છે.

Advertisement

અનિલ અગ્રવાલની માતાનું નિધન

અનિલ અગ્રવાલે સોશિયલ મીડિયા પર તેની માતાને ખૂબ જ હૃદયસ્પર્શી રીતે યાદ કરતા જણાવ્યું કે આજે અમારી માતા અમને છોડીને મુક્તિની યાત્રા પર નીકળી ગઈ છે. હું મારી માતા વિના અધૂરો અનુભવ કરી રહ્યો છું. તેની ગેરહાજરી જીવનમાં કોઈપણ રીતે ભરપાઈ કરી શકાતી નથી. આજે આપણે જ્યાં છીએ ત્યાં તેમણે જ અમને પહોંચાડ્યા છે. જો આપણે તેમના દ્વારા બતાવેલ માર્ગ પર ચાલી શકીએ તો તે પવિત્ર આત્માને આપણી શ્રદ્ધાંજલિ હશે.

Advertisement

આ પણ  વાંચો-IndiGo Airline ની મુસાફરીમાં લાગી બ્રેક, એરપોર્ટ લાંબી લાઈનો જોવા મળી

મુંબઇની હોસ્પિટલમાં હતા દાખલ

અનિલ અગ્રવાલની માતાની ઉંમર 90 વર્ષથી વધુ હતી. તેઓ થોડા દિવસોથી મુંબઈ(Mumbai)ની એક હોસ્પિટલમાં દાખલ હતા.. ગયા અઠવાડિયે અનિલ અગ્રવાલે કહ્યું હતું કે તેની માતા એક ફાઇટર છે અને મેં તેમનાથી વધુ મજબૂત કોઈને ક્યારેય જોયા નથી. તેમણે સોશિયલ મીડિયામાં કહ્યું હતું કે, મારી માતા 90 વર્ષથી વધુ વયની છે અને જાણે છે કે કેવી રીતે દરેક દિવસ દિલથી જીવવું. લંડનમાં, જ્યાં તે છેલ્લા વીસ વર્ષથી મારી સાથે રહેવા આવી રહી છે, ત્યાં તે નવા કપડાં પહેરવા, નવી રેસ્ટોરન્ટમાં જવા, નવા લોકોને મળવા અને અનુભવો મેળવવામાં સૌથી આગળ છે.

Advertisement

આ પણ  વાંચો-આવડી મોટી RBI આખરે કેમ આવી ગઇ ટેંશનમાં....?

અનિલ અગ્રવાલનો વિશ્વભરમાં મોટો બિઝનેસ

ઉલ્લેખનીય છે કે અનિલ અગ્રવાલ મૂળ બિહારના છે. તેઓ લગભગ 20 વર્ષની ઉંમરે બિહાર છોડીને મુંબઈ આવ્યા હતા. વર્ષ 1970 માં ભંગાર વ્યવસાયથી તેમની વ્યવસાયિક કારકિર્દીની શરૂઆત કરી. તેમણે તેના પ્રથમ વ્યવસાયથી સારી આવક મેળવી. વર્ષ 1976માં અનિલ અગ્રવાલે શમશેર સ્ટર્લિંગ કેબલ કંપની ખરીદી હતી. પરંતુ પાછળથી ધંધો ચાલ્યો નહીં. અનિલ અગ્રવાલે ભંગાર વેચીને પોતાનો વ્યવસાય શરૂ કર્યો અને ખાણો અને ધાતુઓના સૌથી મોટા ઉદ્યોગપતિઓમાંના એક બન્યા. આજે વેદાંતા લિમિટેડનું માર્કેટ કેપ રૂ. 2 લાખ કરોડની આસપાસ છે. અનિલ અગ્રવાલની વેદાંત લિમિટેડ મેટલ અને ખાણ ક્ષેત્ર સાથે સંકળાયેલી છે. તે ખનીજ, તેલ અને ગેસ કાઢે છે, જે કોઈ ખજાનાથી ઓછું નથી. કંપનીમાં લગભગ 64 હજાર કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટર છે. મુખ્યત્વે આ કંપની ભારત, આફ્રિકા, આયર્લેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં છે. વેદાંત લિમિટેડનું મુખ્યાલય મુંબઈમાં છે. તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેનારા અનિલ અગ્રવાલ અવારનવાર પોતાના જીવન અને કરિયર સાથે જોડાયેલી રસપ્રદ વાતો શેર કરે છે.

Tags :
Advertisement

.