Mumbai Chembur Fire: મુંબઈની એક ઈમારતમાં ભીષણ આગ! 2 બાળકો સહિત 5 જીવતાં ભડથું
- મુંબઈમાં સિદ્ધાર્થ કોલોની ભીષણ આગ
- આગમાં આખી દુકાન લપેટમાં
- 2 બાળકો સહિત 5 જીવતાં ભડથું
Mumbai Chembur Fire: મુંબઈમાં એક આગની ઘટના સામે આવી છે .જેમાં ચેમ્બુર(Mumbai Chembur Fire)માં આવેલી સિદ્ધાર્થ કોલોનીમાં એક ઇમારતમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી દુકાન(Shop Fire)ની આગને પગલે ઉપરના માળે રહેતાં પરિવારના 5 સભ્યો જીવતાં ભડથું થઈ ગયા હતા. આ ઘટના વહેલી સવારે પાંચ વાગ્યે બની હોવાની જાણકારી છે. મુંબઈ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને પ્રાથમિક તપાસમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન છે.
આગ લાગતાની સાથે જ ઈલેક્ટ્રીક સિસ્ટમમાં વિસ્ફોટ
મુંબઈ પોલીસ પાસેથી મળેલી માહિતી અનુસાર,6 ઓક્ટોબર, રવિવારે સવારે લગભગ 5:15 વાગ્યે આગ લાગી હતી. ગ્રાઉન્ડ ફ્લોર પર બનેલી દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે વિદ્યુત ઉપકરણોમાં આગ લાગી હતી, જેના કારણે વિસ્ફોટના કારણે ઉપરના માળ પરની વીજ વ્યવસ્થા પણ તૂટી પડી હતી. આગને કારણે બે માળની ઈમારત સળગવા લાગી હતી. આગની પ્રચંડ જ્વાળાઓ જોઈને પાડોશીઓએ અંદર જવાની હિંમત ન કરી. ફાયર કર્મીઓ પણ બહારથી આગ ઓલવવામાં વ્યસ્ત હતા. તેઓ પણ ઘરમાં પ્રવેશી શક્યા ન હતા કારણ કે અંદર જવાનો એક જ રસ્તો હતો. જેના કારણે અંદર ફસાયેલા લોકોને બચાવવામાં મુશ્કેલી પડી હતી અને તેઓ મૃત્યુ પામ્યા હતા.
Mumbai, Maharashtra | 5 people including 2 children died after a fire broke out at a shop in Chembur around 5 am today: BMC
— ANI (@ANI) October 6, 2024
ખરાબ રીતે દાઝી ગયેલી હાલતમાં પીડિતોને બહાર કાઢવામાં આવ્યા
અકસ્માતમાં જીવ ગુમાવનારાઓમાં પતિ-પત્ની, બે બાળકો અને તેમના એક સંબંધીનો સમાવેશ થાય છે. મૃતકોની ઓળખ 30 વર્ષીય પ્રેમ ગુપ્તા, 30 વર્ષની પ્રેમ ગુપ્તાની પત્ની મંજુ, 39 વર્ષની અનિતા ગુપ્તા, 10 વર્ષીય નરેન્દ્ર ગુપ્તા અને 7 વર્ષની પેરિસ ગુપ્તા તરીકે થઈ છે. પાંચેયને ફાયરના જવાનોએ બચાવીને હોસ્પિટલમાં લઈ જવાયા હતા, પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આગમાં તે ખરાબ રીતે દાઝી ગયો હતો.