Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Mohamed Muizzu : 'અમારી વર્ષો જૂની મિત્રતા...', માલદીવના રાષ્ટ્રપતિ મુઈઝુનો સૂર બદલાયો...

વડાપ્રધાન મોદીની લક્ષદ્વીપની તસવીરો પર થયેલા વિવાદને પગલે ભારત અને માલદીવ વચ્ચેના સંબંધો છેલ્લા કેટલાક સમયથી ચરમસીમા પર છે. પરંતુ આ તણાવ વચ્ચે રાષ્ટ્રપતિ મુઈઝુ (Mohamed Muizzu)એ બંને દેશોના સંબંધોના વખાણ કર્યા છે. માલદીવના રાષ્ટ્રપતિ કાર્યાલય દ્વારા જારી કરવામાં આવેલા...
07:40 PM Jan 26, 2024 IST | Dhruv Parmar

વડાપ્રધાન મોદીની લક્ષદ્વીપની તસવીરો પર થયેલા વિવાદને પગલે ભારત અને માલદીવ વચ્ચેના સંબંધો છેલ્લા કેટલાક સમયથી ચરમસીમા પર છે. પરંતુ આ તણાવ વચ્ચે રાષ્ટ્રપતિ મુઈઝુ (Mohamed Muizzu)એ બંને દેશોના સંબંધોના વખાણ કર્યા છે. માલદીવના રાષ્ટ્રપતિ કાર્યાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં મુઈઝુ (Mohamed Muizzu)એ રાષ્ટ્રપતિ મુર્મૂ અને વડાપ્રધાન મોદીને પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા પાઠવી હતી અને બંને દેશો વચ્ચેના સંબંધો અને પરસ્પર સન્માન પર ભાર મૂક્યો હતો. રાષ્ટ્રપતિ કાર્યાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં, તેણે માલદીવની જનતા અને સરકાર વતી ભારતની જનતા અને સરકારને અભિનંદન પાઠવ્યા, ભારત માટે શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિની કામના કરી. તેમણે કહ્યું કે માલદીવ અને ભારતની મિત્રતા સદીઓ જૂની છે.

ભારત અને માલદીવ વચ્ચે તણાવ કેવી રીતે શરૂ થયો?

હાલમાં જ વડાપ્રધાન મોદીની લક્ષદ્વીપની મુલાકાત બાદ માલદીવ સરકારના ત્રણ મંત્રીઓએ પીએમ મોદીની મુલાકાતની કેટલીક તસવીરો પર વાંધાજનક ટિપ્પણી કરી હતી. ત્યારથી બંને દેશો વચ્ચે રાજદ્વારી વિવાદ વધુ ઘેરો બન્યો હતો. આ મામલે વિવાદ વધ્યા બાદ આ ત્રણેય મંત્રીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. બંને દેશો વચ્ચેના આ તણાવ વચ્ચે માલદીવના રાષ્ટ્રપતિ મુઈઝુ (Mohamed Muizzu) ચીનની પાંચ દિવસની સરકારી મુલાકાતે ગયા હતા. આ પ્રવાસમાંથી પરત ફર્યા બાદ મુઈઝુ (Mohamed Muizzu) સતત ભારતને નિશાન બનાવી રહ્યો છે.

જાણો રાષ્ટ્રપતિ મુઈઝુએ શું કહ્યું હતું...

મુઈઝુ (Mohamed Muizzu) માલદીવ પરત ફરતાની સાથે જ તેણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે અમારી સાથે દાદાગીરી કરવાનું લાયસન્સ કોઈની પાસે નથી. તેમણે કહ્યું હતું કે આપણે ભલે નાનો દેશ હોઈએ પરંતુ તે કોઈને આપણી સાથે ધમકાવવાનું લાયસન્સ નથી આપતું. જો કે મુઈઝુ (Mohamed Muizzu)એ કોઈનું નામ લઈને સીધું આ નિવેદન આપ્યું નથી. પરંતુ એવું માનવામાં આવે છે કે તેમનું નિશાન ભારત તરફ છે. આ પછી મુઈઝુ (Mohamed Muizzu)એ ભારતને 15 માર્ચ પહેલા માલદીવમાંથી સૈનિકો હટાવવાનું કહ્યું હતું. તમને જણાવી દઈએ કે ચીનના સમર્થક ગણાતા મુઈઝુએ તેમની પાંચ દિવસીય ચીન મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી હતી. તેમની મુલાકાત એવા સમયે થઈ જ્યારે માલદીવ સરકારના ત્રણ મંત્રીઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ મામલે ભારત અને માલદીવ વચ્ચે રાજદ્વારી વિવાદ વધી રહ્યો છે.

આ પણ વાંચો : Republic Day 2024 : લંડનમાં ભારતીય દૂતાવાસમાં ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણી કરાઇ

Tags :
Indiaindia maldives diplomatic rowindia maldives tiesjaishankarMaldives President Muizzumohamed muizzumohamed muizzu china visitmohamed muizzu on brimohamed muizzu on chinaNationalXi jinoingxi jinping mohamed muizzu meeting
Next Article