Mathura : શ્રીજી મંદિરમાં લડ્ડુ હોળી દરમિયાન નાસભાગ, અનેક શ્રદ્ધાળુઓ ઘાયલ, 2 ની હાલત ગંભીર...
મથુરા (Mathura)ના બરસાણા શ્રીજી મંદિરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દરમિયાન શ્રદ્ધાળુઓમાં નાસભાગ મચી જવાનો કિસ્સો પણ સામે આવ્યો છે. આ નાસભાગમાં અડધા ડઝનથી વધુ શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે. હાલ સ્થળ પર હાજર તબીબોની ટીમે ઘાયલોને પ્રાથમિક સારવાર આપી છે. બે લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
તમને જણાવી દઈએ કે લાખો ભક્તો લડ્ડુ હોળી રમવા માટે બરસાણાના રાધા રાણી શ્રીજી મંદિરે પહોંચી રહ્યા છે. આ સમગ્ર ઘટના બરસાણાના શ્રીજી મંદિરના ગેટ પાસે બની હતી. જિલ્લા પ્રશાસન અને પોલીસ પ્રશાસન સ્થિતિને સામાન્ય બનાવવામાં વ્યસ્ત છે.
આ પણ વાંચો : Mahadev Betting App Scam : ચૂંટણી પહેલા છત્તીસગઢના પૂર્વ સીએમ ભૂપેશ બઘેલ સામે FIR નોંધાઈ…
આ પણ વાંચો : Noida Police Arrest Elvish Yadav: યુટ્યુબર એલ્વિશ યાદવને NDPS એક્ટ હેઠળ 10 વર્ષ સુધીની જેલ થઈ શકે છે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ